________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૦૯
એક બાજુ ત્રણ-ચાર સૈકામાં વિજયતૃષ્ણાને લીધે અનેક રાજ્યોની ચઢતીપડતી અને ઊથલપાથલ થાય છે અને બીજી બાજુએ તે જ સેકાઓમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયની ચડતી પડતીની તુલા ઊંચીનીચી થાય છે. રાજકીય ક્ષેત્રમાં, સામાજિક પ્રદેશમાં અને ધાર્મિક સંપ્રદાયમાં જ્યાં દેખે ત્યાં અંતર્મુખ વૃત્તિનું જ પ્રાધાન્ય થાય છે. અને ફરી તર્કવાદ તથા વિજયલાલસાથી વાતાવરણ ભરાઈ જાય છે. આનું પરિણામ માત્ર ગૃહસ્થ વિદ્વાન ઉપર જ નહિ પણ ત્યાગી ગુરુઓ ઉપર સુધ્ધાં એટલું બધું ભારે આવે છે કે દરેક વિદ્વાનનું સાધ્ય કઈ પણ રીતે પિતાના સંપ્રદાયને પરના આક્રમણથી બચાવી લે અને બની શકે તો સામાને પરાભવ આપી તેને સ્થાને પ્રતિષ્ઠા મેળવવી એ થઈ જાય છે. આ સાધ્યની ચિંતાને લીધે વિદ્વાનોના માનસજગતમાં કેટલે ક્ષોભ થ, દરેક વિદ્વાન ભણ્યા પછી પિતાની વિદ્યાનું સાધ્ય શું માનતો, તેમ જ વિવાદ તથા શાસ્ત્રાજૈન અખાડામાં ઊતરી પ્રતિવાદીને વાણીની મલ્લકુસ્તીમાં હરાવવા વાદપદ્ધતિનું જ્ઞાન કેટલું આવશ્યક સમજતો, અને તેથી વાદપદ્ધતિના દરેક નિયમ–ઉપનિયમનું અને તોનું જ્ઞાન કરાવી સભામાં વિજય અપાવે એવા ગ્રંથનું નિર્માણ કેવી રીતે થવા લાગ્યું હતું તેમ જ અક્ષપાદ ગૌતમની લાભ અને ખ્યાતિ નિમિત્તે વિજયતૃષ્ણાથી પ્રેરાઈ વિવાદ કરવાની શિખામણ કેટલી ભૂલી જવાઈ હતી, એ બધું આપણે મધ્યવર્તી સમયના સાહિત્યમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
૧૫. વિજયવિસ્તાર :–મધ્યવતી સમયના સાહિત્ય તરફ વળતાં સૌથી પહેલાં જૈન સાહિત્ય અને તેમાંયે સિદ્ધસેન દિવાકરની કૃતિઓ તરફ નજર દોડાવવી પડશે. દિવાકર એ જૈન પરંપરા પ્રમાણે વિક્રમની પ્રથમ સદીના વિદ્વાન છે. દિવાકર પૂર્વવર્તી આશ્રમને લીધે બ્રાહ્મણોની વિદ્યારેષ્ઠીના અને પાળના બદલાયેલા જીવનને લીધે જેનશ્રમણની નિવૃત્તિવૃત્તિના–એમ બંને સરકારે ધરાવે છે. તેઓ ઉપાશ્રયમાં અનુયાયીઓને ધાર્મિક ઉપદેશ પણ આપે છે, અને વિક્રમની સભામાં અનેક પંડિતરત્ને વચ્ચે બહુમાનપૂર્વક આસન પણ લે છે. તેઓ સંપ્રદાયની રક્ષા અને પ્રતિષ્ઠા માટે સ્વપર અનેક દર્શનનું જ્ઞાન મેળવવું આવશ્યક સમજે છે, અને તે માટેની ગ્રન્થસામગ્રી પિતે જ તૈયાર કરે છે. દિવાકરનું જે થોડું ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં બત્રીસ કપ્રમાણ એક દ્વત્રિશિકા એવી એકવીસ દ્વાત્રિશિકાઓ છે, અને એક ન્યાયાવતાર નામને ગ્રન્થ પણ છે. આમાં સાતમી, આઠમી અને બારમી એ ત્રણ દાવિંશિકા અને ન્યાયાવતાર એ ચાર કૃતિઓ પ્રસ્તુત વિષે માટે ખાસ ધ્યાન ખેંચે છે. વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઈચ્છનારે તેનાં જે રહોનું જ્ઞાન મેળવવું જોઈએ તે રહસ્યોનું વર્ણન સાતમી વાદપનિષદ નામની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org