________________
થાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૦૨
૯. કથાપદ્ધતિ સાથે સાળ પદાર્થોના સંબંધઃ—પ્રમાણુ, પ્રમેય, સાય, પ્રયેાજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિણૅય, વાદ, જપ, વિતડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાનઃ આ ન્યાયસૂત્રના સોળ પદાર્થો છે.
પાંચ અવયવ એ જ ન્યાયવાકય અગર પરાર્થોનુમાન કહેવાય છે. ચારે પ્રમાણે! તે ન્યાયવાકયમાં સમાઈ જાય છે. પ્રમેય વિના તે ન્યાય ચાલી શકે જ નહિ. પ્રમેય એ તે ન્યાયનું પ્રતિપાદ્ય વસ્તુ છે. સંશય, પ્રયોજન અને દૃષ્ટાંત ન્યાયના પૂર્વાંગ તરીકે મનાયાં છે, કારણ કે એ ત્રણ વિના ન્યાયનું ઉત્થાન જ થતું નથી. સિદ્ધાંત એ ન્યાયના આશ્રય છે. તર્ક અને નિણ્ યને ન્યાયના ઉત્તરાંગ માનેલ છે. વાદ, જપ અને વિતંડાની પ્રવૃત્તિ ન્યાયતે આધારે ચાલે છે એમ કહ્યું છે. હેત્વાભાસ ન્યાયમાં જ સંભવે છે. છળ, જાતિ અને નિગ્રહસ્થાનને સબંધ પણ જપ દ્વારા ન્યાય સાથે છે. આ રીતે કાઈ ને કાઈ દૃષ્ટિએ પંદરે પદાર્થોના સંબંધ અવયાવાત્મક ન્યાય સાથે જોડી શકાય છે. પણ ન્યાયને ઉપયોગ શે। એ પ્રશ્નને ઉત્તર વિચારતાં કહેવું પડે છે કે તે કથાને અર્થે છે. કોઈ જાતની કથા હોય તેમાં ન્યાય સિવાય ચાલે જ નહિ એટલે ઉક્ત ન્યાયમૂત્રામાં પ્રતિપાદિત સાળે પદાર્થોને કથાપદ્ધતિના જ્ઞાનની સામગ્રી જ સમજવા જોઈ એ. આ સાળ પદાર્થોના પરિચય માટે અને ખાસ. કરી છળ, જાતિ અને નિગ્રહસ્થાનના વિશેષ ખુલાસા માટે જુએ. પરિશિષ્ટ ૧.
૧૦. ન્યાયસૂત્ર
પહેલાનું
સ્થાપદ્ધતિવિષક સાહિત્યઃ— જોકે ઉપલબ્ધ સાહિત્યમાં કથાપદ્ધતિને સૌથી પ્રાચીન ગ્રન્થ ગૌતમની પંચાધ્યાયી જ છે, પણ તેના પહેલાં તે વિષયના ગ્રન્થ કે ગ્રન્થો રચાયા નહિ. હાય એમ માનવાને કાંઈ કારણ નથી, તેથી ઊલટું આ પંચાધ્યાયી પહેલાં પણ તે વિષયના ગ્રન્થા જરૂર રચાયેલા હેાવા જોઈએ એમ માનવાને નીચેનાં કારણેા છેઃ—
(#) ગૌતમની પંચાધ્યાયીમાં પદાર્થોનું વન જેટલું સ્પષ્ટ, નિશ્ચિત અને વ્યવસ્થિત છે તે પૂર્વકાલીન વિદ્વાનેાના તે વિષયના દીર્થં કાલીન અભ્યાસ અને ચિંતનને વારસા સ્વીકાર્યા વિના એકાએક સભવી ન શકે.
(સ્ત્ર) ગૌતમનાં સૂત્રામાં વાદ, જપ અને વિતણ્ણાનું સ્વરૂપ અને એમાં ચેોજાતાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનનું સ્વરૂપ, તેની સંખ્યા અને ઉદાહરણા
૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org