________________
૧ર૦૨ ]
દર્શન અને ચિંતન જે આપ્યાં છે તે પૂર્વકાલીન દાર્શનિક વિદ્વાનોની લાંબાકાળની વિદ્યાગી અને પારસ્પરિક વાદવિવાદની પ્રવૃત્તિ અને સંબંધી શિક્ષાની પરંપરાને વારસે માન્યા સિવાય એકાએક ન જ સંભવી શકે.
(1) એ સૂત્રોમાં જે અનેક મતમતાંતરે નોંધી તેનું નિરસન વાદપદ્ધતિઓ કરવામાં આવ્યું છે તે ભિન્ન ભિન્ન દર્શનના પૂર્વકાલીન વિદ્વાને એકબીજાના દર્શનનું જ્ઞાન કેટલું સાવધપણે મેળવતા અને તેનું નિરસન કરવા કેટલું ચિંતન કરતા, તથા પિતાને પક્ષ બચાવવા કેટલી ચર્ચામાં ઊતરતા એનું સૂચક છે.
આ તર્કના સમર્થનમાં નીચેના પુરાવા ટાંકી શકાય એમ છે. કદના અને અથર્વવેદનાં પ્રશ્નાત્મક અને કોયડા રજૂ કરતાં સૂકતો, બ્રાહ્મણની વિવિધ વિષય ઉપરની ચર્ચાઓ અને ઉપનિષદના સંવાદો તત્કાલીન આર્યોની ચર્ચા પ્રવૃત્તિનો પુરાવો આપે છે. યાસ્કાચાર્યનું નિરુક્ત તે વાદપદ્ધતિથી લખાયેલે ગ્રંથ છે; એટલું જ નહિ પણ પિતાથી પૂર્વકાલીન વ્યવસ્થિત ચર્ચાઓનો સૂચક છે.
આ ઉપરાંત બૌદ્ધ ત્રિપિટક અને જૈન આગમાં જે અનેક પ્રતિપક્ષોના ઉલ્લેખો આવે છે તે પણ આ પ્રવૃત્તિને જ પુરાવો આપે છે. જેના આગ પૈકી ઔપપાતિક નામના ઉપાંગમાં દીર્ધ તપસ્વી મહાવીરના ૪૦૦ વાદકુશળ શિષ્ય હેવાનો ઉલ્લેખ છે. કપસૂત્રમાં પણ આ પરંપરા નોંધાઈ છે. તેમ જ રાયપરોણીય ઉપાંગમાં કેશી અને પ્રસેનજિત રાજાને સંવાદ ચર્ચાપદ્ધતિનું ભાન કરાવે છે. બૌદ્ધોના સંયુક્ત નિકાયમના વંગીસસંયુત્ત નામના પ્રકરણના બારમા સુત્તની અદ્રથામાં વંગીસની માતા વાદપટુ પરિત્રાજિકા હતી, એને પાંચસો જાતના વાદે આવડતા હતા અને એ સર્વ પરિવાજને હરાવતી એ ઉલ્લેખ છે. બૌદ્ધ સાહિત્યમાં વાદવિવાદમાં ગૂંથાયેલા રહેતા હથક શાક્યપુત્રને ઉલ્લેખ છે. “બીજા પંથના પરિવાજ સાથે વાદવિવાદ કરતી વખતે, એક વખતે પિતાનો અમુક મુદ્દો છે એમ કહી બીજી જ ક્ષણે એ મુદ્દો પિતાને નથી જ એવું પ્રતિપાદન કરતે; અથવા એ વાત ઉડાડી દઈ બીજી જ વાત કરવા માંડતો. અમુક વખતે અમુક ઠેકાણે વાદ માટે હાજર
૬. જુઓ, પુરાતત્ત્વ, પુ. ૨, અં. ૧ અને પુ. ૩, અં. ૨. ૭. ઔપપાતિક સ. સ. ૧૬. ૮. બૌદ્ધ સંધને પરિચય. પૃ. ૨૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org