SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૦ ] દર્શન અને ચિંતન સાહિત્યને ઈતિહાસ. આ બંને પ્રકારને ઈતિહાસ જે સાહિત્યમાંથી તારવવાને છે તે સાહિત્યના સમયને ત્રણ વિભાગમાં અહીં વહેંચી નાખીશું. આથી પ્રસ્તુત વિષયના ઈતિહાસમાં ઉત્તરોત્તર કેવાં કેવાં રૂપાન્તરે થતાં આવ્યાં છે, વિદ્વાનની બાહ્ય સૃષ્ટિ અને પ્રલેખકની માનસમૃષ્ટિ કેવી કેવી બદલાતી ગઈ છે તે જાણવું સુગમ થશે. તે ત્રણ વિભાગે આ પ્રમાણે છે: (૪) વિક્રમ સંવત પહેલાં સમય, (પણ) વિક્રમની પ્રથમ સદીથી નવમી સદી સુધીને સમય, (૪) નવમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીનો સમય. આ ત્રણેને અનુક્રમે પૂર્વવત સમય, મધ્યવતી સત્ય અને ઉત્તરવતી સમય એવાં નામેથી અહીં ઓળખીશું. આ ત્રણે વિભાગના સાહિત્યમાં વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયનું એટલે સમગ્ર ઉપલબ્ધ હિંદુ સાહિત્ય આવી જાય છે. ૭. મહર્ષિ ગૌતમનાં ન્યાયસૂત્રો –અત્યારે ભારતવર્ષનું વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ સંપ્રદાયોમાં વહેંચાયેલું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાં કથા પદ્ધતિના સ્વરૂપનું સ્પષ્ટ નિરૂપણ હેય એવો સૌથી પ્રાચીન ગ્રન્થ મહર્ષિ અક્ષપાદ ગૌતમને રચેલે છે. આ ગ્રન્થ “ન્યાયસૂત્રને નામે પ્રસિદ્ધ છે. અત્યારે તે જ ન્યાયદર્શનને આદિ ગ્રન્થ લેખાય છે, અને તે પાંચ અધ્યાયમાં વહેંચાયેલ હોઈ “પંચાધ્યાયી” પણ કહેવાય છે. દરેક અધ્યાયનાં બે એટલે કુલ તેનાં દશ આહ્નિક છે. તેનાં સૂવે, પ્રકરણો, પદો અને અક્ષરેની સંખ્યા અનુક્રમે પ૨૮, ૮૪, ૧૯૬, ૮૩૮૫ છે. ૮. કથા પદ્ધતિની જ મુખ્યતા–કેટલાક વિચારકે આ ન્યાયસૂત્રોના સોળ પદાર્થોમાં પ્રમાણુનું પ્રથમ સ્થાન જોઈ અને તેમાં પ્રમાણના નિરૂપણની અતિસ્પષ્ટતા જોઈ એ સૂત્રને પ્રમાણપદ્ધતિના ગ્રન્થ તરીકે ઓળખે છે. પણ એ સૂત્રોને ટીકાકાર વાસ્યાયન તેને ન્યાય નામ આપે છે, અને ન્યાયપદ્ધતિના ગ્રન્થ તરીકે ઓળખવાની સૂચના કરે છે. બારીકીથી વિચારતાં એ સૂત્રોને કથા પદ્ધતિના પ્રખ્ય તરીકે જ ઓળખવામાં વિશેષ ઔચિત્ય છે. પંચાવયવરૂપ ન્યાયની પ્રથમ યોજના અક્ષપાદે કરી છે. સોળ પદાર્થમાંના ઘણાને સંબંધ એ ન્યાય સાથે છે એવી ધારણાથી કે વાત્સ્યાયને એને ન્યાય એ નામ આપ્યું હોય તે એ એક રીતે ઠીક છે. છતાં સળે પદાર્થોના સંબંધ જેવી રીતે થાપદ્ધતિ સાથે બંધ બેસે છે તેવો તે ન્યાય સાથે બંધ નથી જ બેસને. તેથી સૂત્રકારની દૃષ્ટિમાં કથા પદ્ધતિની જ પ્રધાનતા હોવાનો સંભવ છે. અર્થાત સૂત્રકારે પોતાના ગ્રન્થમાં સેળ પદાર્થોનું જે નિરૂપણ કર્યું છે તે કથા પદ્ધતિના જ્ઞાનની પરિપૂર્તિ માટે જ છે એમ માનવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy