SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ હ૭૪ ] દર્શન અને ચિંતન બુદ્ધચરિત આદિ તેમણે લખાણોમાં નિર્દેશેલાં અને બીજા કેટલાંક નામપૂર્વક નહિ નિર્દેશેલ છતાં તેમનાં લખાણોના ભાવ ઉપરથી સ્પષ્ટ સૂચિત થતાં જૈનેતર શાસ્ત્રીય પુસ્તકો તેમણે એકાગ્રતા અને તીણ દૃષ્ટિથી વાંચ્યાં છે ખરાં, પણ એકંદર તેમણે જૈન શાસ્ત્રો જ મોટા પ્રમાણમાં વાંચ્યાં છે. તેમાંના ઝીણું ઝીણું તાત્વિક અને આચાર વિષયક મુદ્દાઓ ઉપર તેમણે અનેક વાર ગંભીર વિચારણા કરી છે, એ વિશે એકથી વધારે વાર લખ્યું છે, અને એમણે એ વિશે જ હાલતાં ને ચાલતાં ઉપદેશ આપ્યો છે. આ દષ્ટિએ એમનાં લખાણે વાંચતાં એવું વિધાન ફલિત થાય છે કે જે કે બીજાઓમાં હોય છે તેવી તેમનામાં સંકુચિત ખંડનમંડનવૃત્તિ, કદાગ્રહ કે વિજયલાલસા ન હતાં, છતાં તેમણે વાંચેલું જૈનેતર સમગ્ર મૃત જૈન શ્રત અને જૈન ભાવનાના પરિપષણમાં જ તેમને પરિણમ્યું હતું. ભારતીય દર્શનમાં વેદાંત (ઉત્તરમીમાંસા) અને તે પણ શાંકરમતાનસારી, તેમ જ સાંખ્ય એ બે દર્શનનાં મૂળ તને તેમને પરિચય કાંઈક ઠીક હતે એમ લાગે છે. એ સિવાયનાં અન્ય વૈદિક દર્શને કે બૌદ્ધ દર્શન વિશે તેમને જે કાંઈ માહિતી મળી, તે તે દર્શનના મૂળ ગ્રન્થ ઉપરથી નહિ, પણ આચાર્ય હરિભદ્રના વદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહણું આદિ તથા આચાર્ય સિદ્ધસેનના મૂળ સન્મતિ આદિ જેવા જૈન ગ્રંથ દ્વારા જ મળી હોય એમ લાગે છે. તેમના જૈન શાસ્ત્રજ્ઞાનની શરૂઆત પણ સ્થાનકવાસી પરંપરામાંથી જ થાય છે. એ પરંપરાનું સાહિત્ય બાકીની બે પરંપરા કરતાં–ખાસ કરી મૂર્તિપૂજક શ્વેતાંબર પરંપરા કરતાં–બહુ જ ઓછું અને મર્યાદિત છે. કડા નામનાં તાત્ત્વિક વિષયનાં ગુજરાતીભાષાબદ્ધ પ્રકરણ, મૂળ પ્રાકૃત કેટલાંક આગમે અને તેના ટબાઓ—એ જ એ પરંપરાનું મુખ્ય સાહિત્ય છે. શ્રીમદે બહુ જ થોડા વખતમાં એ શાસ્ત્રો બધાં નહિ તે એમાંનાં મુખ્ય મુખ્ય જોઈ તેનું હાર્દ સ્પર્શ લીધું, પણ એટલાથી તેમની ચક્રવત થવા જેટલી મહત્ત્વાકાંક્ષા કાંઈ શમે અગર ભૂખ ભાંગે એમ ન હતું. તેઓ જેમ જેમ જન્મભૂમિ બહાર જતા ગયા અને ગગનચુંબી જૈન મંદિરનાં શિખરે જેવા સાથે મોટા મેટા પુસ્તક ભંડારે વિશે સાંભળતા ગયા, તેમ તેમ તેમની વૃત્તિ શાસ્ત્રધન તરફ વળી. અમદાવાદ પહોંચ્યા ત્યાં એમને ખૂબ જ નવ નવ શાસ્ત્રો જેવાજાણવા મળ્યાં. પછી તે, એમ લાગે છે કે, તેમની વિવેચકશક્તિ અને ગંભીર ધાર્મિક સ્વભાવને લીધે તરફથી આકર્ષણ વધ્યું અને અનેક દિશાઓમાંથી તેમને સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકે મળવા લાગ્યાં. આ રીતે શ્વેતાંબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy