SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્રાજચંદ્ર—-એક સમાચના [ ૭ રીય સાહિત્યનો પરિચય બહિરંગ અને અંતરંગ બન્ને રીતે વધે જ જો હિતે, તેટલામાં મુંબઈ જેવા સ્થળેથી તેમને દિગંબરીય શાસ્ત્રો જાણવા મળ્યાં. તેઓ જે વખતે જે વાંચતા, તે વખતે તેના ઉપર કાંઈક નોંધપોથીમાં લખતા; અને તેમ નહિ તે છેવટે કઈ જિજ્ઞાસુ કે નેહીને લખવાના પત્રમાં તેને નિર્દેશ કરતા. એમની નોંધપોથી સમગ્ર જ છે એમ ન કહી શકાય. વળી બધી જ બેંધપોથી કે બધા નિર્દેશક પત્ર પ્રાપ્ત થયા છે એમ પણ ન કહી શકાય, છતાં જે કાંઈ સાધન ઉપલબ્ધ છે તે ઉપરથી એટલું ચેકસપણે કહી શકાય એમ છે કે ત્રણે જૈન પરંપરાના તાત્વિક, પ્રધાન પ્રધાન ગ્રંથો એમણે વેધક દૃષ્ટિથી સ્પેશ્ય છે. કેટલાંક મૂળ સૂત્ર, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, પ્રશ્નવ્યાકરણ, ઇત્યાદિ તે એ શબ્દ, ભાવ અને તાત્પર્યમાં પી ગયા હતા, એમ લાગે છે. કેટલાક તર્કપ્રધાન ગ્રંથો પણ એમણે વાંચ્યા છે. વૈરાગ્યપ્રધાન અને કર્મવિષયક સાહિત્ય તે એમની નસેનસમાં વ્યાપેલું હોય એમ લાગે છે. ' ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃત એ ચાર ભાષામાં લખાયેલ શાસ્ત્રો એમણે વાંચેલાં લાગે છે. આશ્ચર્ય તે એ છે કે ગુજરાતી સિવાય એમણે બીજાઓની પેઠે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓને વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી, છતાં તે તે ભાષાના વિશારદ પંડિતે શાસ્ત્રના ભાવેને સ્પર્શે તેટલી જ યથાર્થતાથી અને ઘણે સ્થળે તે તેથી પણ આગળ વધીને તેમણે એ ભાષાને શાસ્ત્રોના ભાવેને તાવ્યા છે, એટલું જ નહિ, પણ તે ભાવેને તેમણે ગદ્ય કે પદ્યમાં વ્યક્ત કર્યા છે, ઘણી વાર તે તે ભાવનાં માર્મિક વિવેચન કર્યા છે; એ વસ્તુ તેમની અર્થસ્પશી પ્રજ્ઞા સૂચવે છે. તે વખતે જૈન પરંપરામાં મુદ્રણયુગ નામને જ હતા. દિગંબરીય શાસ્ત્રોએ તે કદાચ છાપખાનાને દરવાજે જે જ ન હતા. એ યુગમાં ધ્યાન, ચિંતન, વ્યાપાર આદિની બીજી બધી પ્રવૃત્તિ વચ્ચે વ્યાપક રીતે ત્રણે ફિરકાનું આટલું શાસ્ત્ર, ભાષા આદિની અધૂરી સગવડે, એના યથાર્થ ભાવમાં વાંચવું અને તે ઉપર આકર્ષક રીતે લખવું, એ શ્રીમદની અસાધારણ વિશેષતા છે. એમને કે ગુરુ ન હ –હોત તે એમના કૃતજ્ઞ હાથ ઉલ્લેખ કરતાં ન ભૂલત– છતાં એ એવા જિજ્ઞાસુ હતા કે નાનામેટા ગમે તે પાસેથી પિતાને જોઈતું મેળવી લેતા. એ યુગમાં ગુજરાતમાં, ખાસ કરી મૂર્તિપૂજક અને સ્થાનકવાસી જૈન પરંપરામાં, દિગંબરીય સાહિત્યને પરિચય કરાવનાર, તે તરફ રસવૃત્તિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy