SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૬૯ અને જે થવાનું છે તે સર્વ પુરુષ (ઈશ્વર) જ છે. જે અમૃતના સ્વામી થયેલા છે (મેક્ષ ગયેલા છે) અને જે અન્નથી નિર્વાહ કરે છે તે સર્વે ઈશ્વરરૂપ જ છે. એવી રીતે સર્વ એક પુરુષ (ઈશ્વર) રૂપ જ છે, તેથી કાણ કેને મારે છે માટે યજ્ઞમાં ઈચ્છા પ્રમાણે પ્રાણુઓની હિંસા કરવી અને યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવું, કારણ કે તે દેવતાના ઉદ્દેશથી કરેલું છે, અને મંત્રાદિ વડે પવિત્રિત છે.” આ પ્રમાણે ઉપદેશ આપી સગરરાજાને પિતાના મતમાં ભેળવી તેણે કુરુક્ષેત્ર વગેરેમાં ઘણા યજ્ઞો કરાવ્યા. છેડે થોડે તેને મત પ્રસરતાં તેણે રાજસૂયાદિક યજ્ઞ પણ કરાવ્યા, અને તે અસુરે યજ્ઞના કરનારાઓને યજ્ઞમાં હેમેલા પ્રાણું કે રાજા વગેરેને વિમાન પર રહેલા બતાવ્યા તેથી પ્રતીતિ આવતાં તે પર્વતના મતમાં રહીને લેકે પ્રાણિહિંસાભક ચો નિશંકપણે કરવા લાગ્યા. - આ બધું જોઈને મેં દિવાકર નામના એક વિદ્યાધરને કહ્યું કે, “ આ ચોમાંથી બધા પશુઓને તારે હરી લેવા” એટલે મારું વચન માનીને તે યજ્ઞમાંથી પશુઓનું હરણ કરવા લાગ્યો. તે પેલા પરમાધાર્મિક અસુરના જાણવામાં આવ્યું, જેથી તેની વિદ્યાને વાત કરવાને તે મહાકાલે યજ્ઞમાં ઋષભદેવની પ્રતિમા સ્થાપિત કરવા માંડી. એટલે તે દિવાકરખેચર વિરામ પામી ગયે. પછી હું ઉપાયક્ષીણ થવાથી શાંત થઈને બીજે ચાલ્યો ગયો. પછી તે અસુરે માયાથી યજ્ઞમાં તત્કાલ સુલસા સહિત સગરરાજાને અગ્નિમાં હોમી દીધું. પછી તે મહાકાલ અસુર કૃતાર્થ થઈને પિતાને સ્થાનકે ગયે. આ પ્રમાણે પાપના પર્વતરૂપ તે પર્વત ચકી યાજ્ઞિક બ્રાહ્મણોએ હિંસાત્મક યજ્ઞ પ્રવર્તાવ્યા છે, તે તમારે. અટકાવવા યોગ્ય છે” આવાં નારદનાં વચન અંગીકાર કરી સત્કારપૂર્વક તેને વિદાય કરીને રાવણે મસ્તરાજાને ક્ષમા આપી. [ ગુજરાતી ભાષાંતર પર્વ ૭, સર્ગ ૨૭, પૃ. ૨૭ થી ૩૪ ] [a] ઉત્તરપુરાણ મહાકાળ નામના અસુરે હિંસાપ્રધાન વેદો રચ્યા. તે વડે તેણે પર્વતનામક એક બ્રાહ્મણ દ્વારા હિંસક યજ્ઞો પ્રર્વતાવ્યા. અને તેમ કરી તે અસુરે પિતાના પૂર્વ શત્રુ સગર નરપતિ અને તેની રાણુ સુલતાને હિંસામા દેરી નરકમાં પહોંચાડ્યાં. પર્વત એ નારદને એક વખતને સહાધ્યાયી અને પાછળથી અજ શબ્દના અર્થ વિષે મતભેદ ઊઠતાં બની ગયેલ શત્ર. અજ શબ્દનો અર્થ બકરે યજ્ઞના પ્રસંગમાં લે, એ પક્ષ પર્વતની અને તેને અર્થ ત્રણ વર્ષનું જૂનું ન ઊગે તેવું ધાન્ય, એટલે લે એ પક્ષ નારદને. ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy