SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૮] દર્શન અને ચિંતન બકરે અર્થ ગુએ કહેલ છે એમ જણાવ્યું, વસુના સત્યભંગથી કુપિત થએલા દેવોએ તેનું આસન તેડી પાડયું. વસુ ગબડી પડ્યો ને મરી નરકમાં ગ. પર્વત લેકતિરસ્કારથી ખિન્ન થઈ નગર બહાર ચાલ્યો ગયો જ્યાં તેને મહાકાલ નામના અસુરે પિતાના પક્ષમાં લીધો. - રાવણે પૂછ્યું કે “એ મહાકાલ અસુર કેણુ?” તેના ઉત્તરમાં નારદે. કહ્યું કે એક મધુપિંગ નામને રાજકુમાર હતે જે પિતાને વરવા ઈચ્છનાર સુલસા નામક રાજકુમારીને વચ્ચેથી જ પરણી જનાર સગર નામક કોઈ બીજા રાજાના છળબળથી ઉદાસ થઈ જંગલમાં ચાલ્યો ગયેલે અને ત્યાં અજ્ઞાનમય તપ કરી છેવટ ભરી અસુર દેવાના સ્વામી તરીકે ઉત્પન્ન થયો. એ જ મહાકાલ. - આ મહાકાલ પૂર્વજન્મના શત્રુ સગર આદિ રાજાઓને તેઓના કૃત્યનો બદલે આપવાના વિચારથી ફરતો હતો તેવામાં તેને પર્વત મળ્યો. આ તકને લાભ લેવા તેણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી પર્વતને કહ્યું: “હું તારા પિતા ક્ષીર કદંબકનો મિત્ર છું. મારું નામ શાંડિલ્ય છે. અમે બન્ને એક જ ઉપાધ્યાય પાસે ભણેલા. નારદ વગેરેએ તારું અપમાન કરેલું જાણું હું અહીં આવ્યો છું. હું મંત્રોથી વિશ્વને મોહિત કરીને તારા પક્ષની પૂર્તિ કર્યા કરીશ.” આ પ્રમાણે કહી તે અસુરે પર્વતની સાથે રહી દુર્ગતિમાં પાડવાને માટે ઘણું લેકને કુધર્મમાં મેહિત કરી દીધા. લેકમાં સર્વ ઠેકાણે. વ્યાધિ અને ભૂત વગેરેના દોષ ઉત્પન્ન કરી પર્વતના મતને નિર્દોષ ઠરાવવા માંડ્યો. શાંડિલ્યની આજ્ઞાથી પર્વતે રાગની શાંતિ કરવા માંડી અને તેને ઉપકાર કરી કરીને પિતાના મતમાં સ્થાપન કરવા માંડ્યા. સગર રાજાના નગરમાં, અંતઃપુરમાં અને પરિવારમાં પણ તે અસુરે દારુણ રેગો વિકવ્યો. સગર રાજા પણ લેકની પ્રતીતિથી પર્વતને ભજવા લાગે એટલે તેણે શાંડિલ્યની સાથે રહીને સર્વે ઠેકાણે રોગની શાંતિ કરી. પછી શાંડિલ્યના કહેવા પ્રમાણે પર્વતે લેકેને ઉપદેશ આપવા માંડ્યો કે સૌત્રામણી યજ્ઞમાં વિધિવડે સુરાપાન કરવાથી દોષ લાગતો નથી માટે તેમાં સુરાપાન કરવું, ગોસવ નામના યજ્ઞમાં અગમ્ય સ્ત્રીની સાથે ગમન કરવું, ભાવમેધ યજ્ઞમાં માતાને વધ અને પિતૃમેધ યજ્ઞમાં પિતાને વધ અંતર્વેદિમાં કરે, તેથી દેવ લાગતું નથી. કાચબાના પૃષ્ઠ ઉપર અગ્નિ મૂકી “ssaથાય સ્વાહ્યા” એમ બોલી પ્રયત્નથી હુતદ્રવ્ય વડે તેમાં હામ કર, જે. કાચળે ન મળે તે માથે ટાલવાળા, પીળા વર્ણના, ક્રિયારહિત અને કુસ્થાનમાં અવતરેલા એવા કેઈ શુદ્ધ દિજાતિ (બ્રાહ્મણાદિ)ના જલ વડે પવિત્ર પુકાર મસ્તક ઉપર અગ્નિને પ્રદિપ્ત કરી તેમાં આહુતિ નાખવી. જે થઈ ગયેલું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy