SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૬૪ પાતપાતાના યાગ્ય આચરણા કરતા હશે, પરંતુ કળિયુગ નજીક આવતાં જ તેઓ બ્રાહ્મણજાતિના અભિમાનથી સદાચારભ્રષ્ટ થઈ મેાક્ષમાર્ગના વિરોધી અની જશે. કળિયુગમાં પોતાની મહત્તાના અભિમાનમાં ફસાઇને એ લેાકા ધનની ઇચ્છાથી મિથ્યાશાસ્ત્ર દ્વારા સવ લેાકાને માહિત કરતા રહેશે. ‘આદરસત્કારથી અભિમાન વધવાને લીધે તેઓ ઉદ્ધૃત થઈ સ્વયમેવ શાસ્ત્રા. રચી લેાકાને ગ્યા કરશે. આ અધાર્મિક બ્રાહ્મણા પ્રાણીહિ સાપરાયણ થશે. મધુ, માંસ ભક્ષણને પસંદ કરશે અને પ્રવૃત્તિરૂપ ધર્મની ચેષણા કરશે. તેઓ અહિંસાધમમાં દ્વેષ બતાવી વેદોક્ત માર્ગને પોષશે. પાચિહ્નરૂપ જનાઈ ધારણ કરનાર તેઓ હિંસારત થઈ ભવિષ્યમાં આ શ્રેષ્ઠ ભાગના વિરોધી થશે. આ કારણથી જો કે ભવિષ્યની દૃષ્ટિએ બ્રાહ્મણાની રચના દોષરૂપ છે. તથાપિ હવે સ્થપાયા પછી મર્યાદા સાચવવા ખાતર તેના લેાપ ન કરવા એ ચોગ્ય છે, તે' જે પૂજાતા શ્વાનનુ સ્વપ્ન જોયુ તેનુ ફળ ભવિષ્યમાં થનાર ધ સ્થિતિના નાશ એ છે, અર્થાત્ ધ ભ્રષ્ટ બ્રાહ્મણાની પૂજા એ એ સ્વપ્નાનુ ફળ છે. (વિસ્તાર માટે જુએ પર્વ ૩૮, ૩૯-૪૦-૪૧ ) અન્યમતિઓના સંગ ત્યાગવા માટે ભરતના ઉપદેશ એક વાર રાજસભામાં ઉપસ્થિત થયેલ બધા મુખ્ય ક્ષત્રિયાને તેને ધમ સમજાવતાં ભરતે કહ્યું કે તમે પોતે જ ઉચ્ચ વંશમાં ઉત્પન્ન થયા છે તેથી તમારે અન્ય મતવાળાએ ઉપર શ્રદ્ધા રાખી તેઓ પાસેથી શેષ ( પૂજા આદિમાં વધેલા ચોખા) અને સ્નાનેક ( અભિષેકનું પાણી ) ન લેવાં, કારણ કે તેથી તમારી મહત્તા ધટે અને ખીજા પણ દોષો દાખલ થાય. અન્ય મતવાળાઓને નમસ્કાર કરવામાં મોટપ સચવાતી નથી. કદાચ કાઈ દ્વેષી હાય તે શેષ સ્નાનાદક આદિ દ્વારા વિષયાગ, વશીકરણ આદિ કરીને તમને નષ્ટ કરે. તેથી રાજાઓએ અન્ય મતવાળા પાસેથી શેષ, આશીર્વાદ, શાંતિવચન, શાંતિમંત્ર અને પુણ્યાહવાચન એ કશું લેવું કે કરાવવું નહિ. આ વાત નહિ માને તે નીચકુળમાં જન્મશે, પરંતુ જિનેશ્વર પોતે ક્ષત્રિય હાવાથી તેનાં સ્નાનાદક, ચરણુ–પુષ્પ આદિત્ય સ્વીકારવામાં કશો જ વાંધા નથી; ઊલટુ' તેથી અનેક લાભા છે. તેવી રીતે પ્રથમ બ્રાહ્મણ હાય કે વૈશ્ય, પણ જો તે મુનિ થાય તે તેઓની શેષ આદિ લેવામાં કશી અડચણ નથી, કારણ મુનિ થયા એટલે ગુણથી ક્ષત્રિય અને ક્ષત્રિય એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy