SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૬ ] દર્શન અને ચિંતન જાતીય. સજાતીયની વસ્તુ સ્વીકારવામાં દેશ નથી. ભરત કહે છે કે રાજાઓ આ પ્રમાણે નહિ વર્તે તો અન્ય મતવાળાઓ (બ્રાહ્મણ ) મિથ્યાપુરાણનો ઉપદેશ કરી તેઓને ઠગી લેશે. (પર્વ ૪૨ પૃ. ૧૪૮૫ થી આગળ.) જૈન અગ્નિહોત્રને ઉપદેશ ભગવાનના નિર્વાત્સવ પછી ઈદ અને દેવોએ શ્રાવક બ્રહ્મચારીઓને ઉપદેશ આપતાં કહ્યું કે તમારામાંથી જેઓ ઉપાસકાધ્યયન નામક સાતમા અંગના અભ્યાસી હોય અને સાતમી, આઠમી, નવમી, દશમી તેમ જ અગિયારમી પ્રતિમાના ધારક હોય તેઓએ ગાઈપ, પરમહવનીયક અને દક્ષિણાગ્નિ નામના ત્રણ કુંડ કરી તેમાં ત્રિસંધ્ય અગ્નિ સ્થાપી જિદ્રની સ્થાપના કરી પૂજા કરવી. તેથી તમે આદરસત્કાર પામી અતિથિપદ પામશે. [ પર્વ ૪૭ લેક ૩૫૦ થી ૩૫૩ પૃ. ૧૭૫૮ ] યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ અને તેના પ્રતિપાદક વેદોની ઉત્પત્તિ વૈદિકે કહે છે કે વેદ અપૌરુષેય હોઈ અનાદિ હેવાથી નિર્દોષ અને પ્રામાણિક છે. તે જ પ્રમાણભૂત પ્રાચીન વેદમાં યાજ્ઞિક હિંસાનું વિધાન છે. આની સામે જેને કહે છે કે યજ્ઞમાં હિંસાની પ્રવૃત્તિ પાછળથી થઈ છે, અને તેના પ્રતિપાદક વર્તમાન વેદ પણ પાછળથી જ રચાયા છે. પહેલાં તે દયામય યજ્ઞ થતું અને હિંસાવિધાન વિનાના આર્ય વેદે હતા. હિંસાપ્રધાન અનાર્ય વેદે પાછળથી રચાયેલા છે. જેનોનો આ પક્ષ શ્વેતાંબર-દિગંબર બનેના ગ્રંથમાં છે. શ્વેતાંબર ગ્રંથમાં પઉમચરિય તથા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મુખ્ય છે અને દિગંબર માં પદ્મપુરાણ તથા ઉત્તરપુરાણ મુખ્ય છે. આ ગ્રંથોમાં પ્રસ્તુત પક્ષને લગત ટૂંક સાર આ છે. (૪) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર - લાકડીઓના ભારથી જર્જર થયેલ નારદે “અન્યાય ! અન્યાય !” એવો પિકાર કરી રાવણને કહ્યું, “હે રાજન ! આ રાજપુર નગરમાં મત નામને રાજા છે. તે નિર્દય બ્રાહ્મણોના સહવાસથી યજ્ઞ કરવા પ્રેરાય છે. તે માટે તેણે અનેક પશુઓને એકત્ર કર્યા છે. તેઓને પશુઓને, પિકાર સાંભળી મને દયા આવી, તેથી આકાશમાંથી ઊતરી મેં તેને પૂછયું કે “આ શું આરંભ્ય છે?” તેણે ઉત્તર આપ્યું: “આ બ્રાહ્મણોએ કહ્યા પ્રમાણે દેવતૃપ્તિ અને સ્વર્ગપ્રાપ્તિ માટે ધર્મે યજ્ઞ કરું છું, તેમાં પશુઓ હોમવાનાં છે.” ૧. આ ગ્રંથ ભટ્ટારક ગુણભદ્રની કૃતિ છે. તે વિશે જુઓ પાછળ પૃ. ૮૫ નેટ નંબર ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy