SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રદાણિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [૧૧૬૩ ભગવાને પોતે હાથમાં શસ્ત્ર ધારણ કરી ક્ષત્રિયનું કર્મ, જધાથી યાત્રા કરી બતાવી વૈશ્યનું કર્મ અને પગથી ચાલી શબ્દ કમાં બતાવ્યું. આ ત્રણ વણે ઋષભદેવે બનાવ્યા. પાછળથી ભરતે શાસ્ત્રનું પાઠન કરાવી બ્રાહ્મણો બનાવ્યા અને દરેકનાં કર્મ, વ્યવહાર વગેરે નકકી થયાં તેથી પ્રથમની ભેગભૂમિ તે હવે કર્મભૂમિ થઈ (પર્વ ૧૬ લે. ૨૪૨ થી ૨૪૯) - ગૌતમે કહ્યું, “હે શ્રેણિક! હું અનુક્રમે બ્રાહ્મણની ઉત્પત્તિ કહું છું. તું સાંભળ. ભરત દિગ્વિજય કરી પાછો ફર્યો ત્યારે તેને વિચાર થયો કે આ બધું ધન જૈન મહામહ યજ્ઞમાં વાપરી વિશ્વને સંતુષ્ટ કરું. મુનિઓ તો નિઃસ્પૃહ છે. ગૃહસ્થમાં જે દાન, માન યોગ્ય હોય તેનો જ સત્કાર કરવા જોઈએ. એવા ગ્ય તો અણુવ્રતધારી શ્રાવકે જ છે. આ વિચારથી એવા શ્રાવકેની પરીક્ષા કરવા ભરતે ઉપસ્થિત રાજાઓને પોતપોતાના પરિવાર સાથે જુદા જુદા આવવા આમંત્ર્યા. બીજી બાજુ ભારતે પોતાના મહેલના આંગણામાં લીલી વનસ્પતિ, ફળ-ફૂલ આદિ ફેલાવ્યાં અને દરેક આગંતુકને તે રસ્તે થઈ મહેલમાં આવવા કહ્યું. જેમાં અત્રતા હતા તેઓ એ વનસ્પતિ ખૂંદી બેધડક મહેલમાં ચાલ્યા ગયા, પણ કેટલાક તો બહાર જ ઊભા રહ્યા. ભરતે તેઓને પણ અંદર આવવા કહ્યું, પરંતુ તેઓએ સચિત્ત વનસ્પતિ કચરી અંદર આવવા ના પાડી. ભરત તેઓને વ્રતધારી જાણી બીજે માર્ગેથી મહેલમાં લાગે, અને અનેક રીતે તેઓનો સત્કાર કર્યો, તેમ જ વ્રતની નિશાની તરીકે પદ્મનિધિમાંથી જઈ મંગાવી તે વડે તેઓને ચિહ્નિત કર્યો. કોઈને એક સૂત્ર, કેઈને બે એમ અગિયાર સુધી સૂતરના તાંતણું પહેરાવ્યા. જેને એક પ્રતિમા હતી તેને એક, જેને બે હતી તેને બે, એ રીતે જેને ૧૧ પ્રતિમા હતી તેને ૧૧ સૂત્રથી ચિહ્નિત કર્યા. દરેક વ્રતધારીઓને આદર કર્યો અને અવતીઓને બહાર કર્યો. વ્રતધારીઓ સત્કાર મળવાથી પિતપોતાના વ્રતમાં વધારે સ્થિર થયા અને લેકે પણ તેઓને આદર સાકાર કરવા લાગ્યા. ૧. સરખા પુરુષસૂક્ત સં. ૧૦, સૂ. ૯૦, ઋ. ૧૨ ‘બાહુને રાજન્ય કર્યા, ઊસને વૈશ્ય કર્યું, અને પગમાંથી શુદ્ધ જ .' ૨. પ્રતિમા એટલે એક પ્રકારના અભિપ્રહ–નિયમે. એવા નિયમ અગિયાર છે, જે ખાસ શ્રાવકે મારે છે. પહેલી પ્રતિમા એક માસની એમ વધતાં અગિયારમી અગિયાર માસની હોય છે. દરેક પ્રતિમામાં ભિન્નભિન્ન ગુણો કેળવવાના હોય છે. (જુઓ વપરાવરા . ૨.) . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy