SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૪૧ દિાસ છું. આગ શમાવો. હું તમારી વૃત્તિ અને શાસને ફરી સ્થિર કરી આપું છું. મારું વચન અન્યથા નહિ થાય. જે થાય તે બ્રહ્મહત્યા આદિનાં મહાપાપ મને લાગે. રામ અને બ્રાહ્મણે વિશે મારી ભક્તિ સ્થિર છે. તે વખતે બ્રાહ્મ એ દયા કરી જમણી પડીકી નાખી એટલે બધું શાંત થયું, અને બળી ગયેલ બધી વિસ્તુઓ ફરી હતી તેવી થઈ ગઈ. આથી રાજા અને પ્રજા પ્રસન્ન થયાં. દરેકે વૈષ્ણવધર્મ સ્વીકાર્યો. બ્રાહ્મણોને નવીન ફરમાને રાજાએ કરી આપ્યાં. કૃત્રિમ શાસ્ત્રના પ્રવર્તક વેદબાહ્ય પાખંડીઓને કાઢી મૂક્યા. પહેલાં જે ૩૬૦૦૦ ગોભુજે થયા હતા તેમાંથી અઢવીજ વાણિયા થયા.એ બધાને રાજાએ દેવ-બ્રાહ્મણની સેવા માટે મુકરર કર્યા. તેઓ પાખંડધર્મ છોડી પવિત્ર વૈષ્ણવ બન્યા પછી ક્રમે ક્રમે ત્રવિદ્યા અને ચાતુર્વિધ જાતિને રાજાએ ભેદ નક્કી કરી દરેકને જુદા જુદા નિયમો સ્વીકારાવ્યા. જે ગભુજ શો જૈન થયા ન હતા અને બ્રાહ્મણભક્ત હતા તેઓ ઉત્તમ ગણાયા અને જેઓએ જૈન થઈને રામનું શાસન જોયું હતું તેઓ કિંજસમાજમાં બહિષ્કત ગણાયા. રાજા કુમારપાળે પિલા ૧૫૦૦૦ બ્રાહ્મણો, જેઓ રામેશ્વર ગયા ન હતા તેઓને વૃતિહીન કરી ગામ બહાર રહેવાનું ફરમાવ્યું. રાજાએ કહ્યું, પાખડીએના સંસર્ગથી થયેલું મારું પાપ તમારા પ્રણામથી નાશ પામે. છે વિતમે પ્રસન્ન થાઓ. એ સાંભળી ત્રિવિધ વિ બોલ્યા–થવાનું જરૂર થાય છે. નીલકંઠ પણું નગ્ન થયા. મઢવંશજ સૈવિઘ અને ચાતુર્વેિદ્ય એ રીતે થયા. ચાતુર્વિઘો સુખવાસક ગામમાં રહ્યા. (સ્કંદપુરાણ ૩ બ્રહ્મખંડ, અ૦ ૩૬-૩૭–૩૮ બંગાળી આવૃત્તિ) ભાગવત અહિત રાજા પાખંડી નીવડશે. કોક, બેંક, કુટક દેશમાં અહંત નામનો રાજા રાજ્ય કરવાનું છે. તે રૂષભદેવનું આશ્રમાતીત પરમહંસયોગ્ય જીવન સાંભળશે. તેને તે અભ્યાસ કરશે. કળિયુગના પ્રભાવથી તેની બુદ્ધિ બગડશે અને તે નિર્ભય સ્વધર્મ છોડી સ્વબુદ્ધિથી પાખંડી મતનો પ્રચાર કરશે. કળિયુગમાં પહેલેથી બુદ્ધિ તે બગડેલી હેય જ, ને તેમાં વળી આ રાજા અધર્મને પ્રસાર કરવા મંડે એટલે અર્થાત્ જ લેકે વર્ણાશ્રમ ગ્ય આચાર છેડી દેશે. અને દેવોને અપમાન પહોંચાડનાર કામ કરશે; જેમ કે સ્નાન-આચમન ન કરવું, ગંદા રહેવું, લેચ કરે અથવા વાળ કાપવા વગેરે હલકાં કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy