SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪૨ ] દર્શન અને ચિંતન ઈરછાનુસાર કરશે. કળિયુગ એટલે અધર્મનું પિયર. તેથી લેકેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલે દેવ, વેદ, બ્રાહ્મણ, યજ્ઞપુરુષ વિષે શ્રદ્ધહીન નાસ્તિક થશે. હે પરીક્ષિત! તે અરહત રાજાના પલકલ્પિત ધર્મને વેદને આધાર હશે નહિ. તે અર્વાચીન ધર્મો ઉપર અરહત રાજાની પછી પણ બીજા લેકે અંધ પરંપરાથી ચાલશે અને તેઓ પોતે જ પોતાની મેળે અંધતમ નરકમાં પડશે. (ભાગવત, સ્કંધ ૫, ૮૦ ૬ નિર્ણયસાગરની આવૃત્તિ) કૂર્મપુરાણ વૃદ્ધ (બૌદ્ધ ?) શ્રાવક, નિગ્રંથ (જૈનમુનિ) પંચરાત્રા કાપાલિક, પાશુપત અને તેના જેવા જ બીજા પાખંડી માણસ, જેઓ દુષ્ટાત્મા અને તામસ સ્વભાવના છે તેઓ જેનું વિશ્રાદ્ધભજન) ખાય છે તેનું તે શ્રાદ્ધ આ લેક અને પરલેકમાં ફલપ્રદ થતું નથી. - નાસ્તિક, હૈતુક, વેદાનભિજ્ઞ અને બધા પાખંડીઓને ધમર માણસે પાણી પણ આપવું ન જોઈએ. (કૂર્મપુરાણ, અ ૨૧, લેક ૩૨-૩૩ પૃ૦ ૬૦૨ તથા પૃ૦ ૬૪૧ પં. ૧૫) (નાટવિષયક) પરિશિષ્ટ ૨ પ્રબોધચંદ્રોદય શાંતિ–હે માતા ! હે માતા! તું ક્યાં છે? મને તું દર્શન દે કરુણ—(ત્રાસપૂર્વક) હે સ!િ રાક્ષસ ! રાક્ષસ! શાંતિ–ણ આ રાક્ષસ! કરુણુ–સખિ! જે, જે! જે આ ઝરતા મેલથી ચીકણી, બીભત્સ, દુઃખથી જવાય તેવી શરીર છવિવાળ, વાળને લોચ અને વસ્ત્રોને ત્યાગ ' કરેલ હેવાથી દુખથી જોવાય તે અને મેરની કલગી તથા - પિચ્છ હાથમાં રાખનાર આ તરફ જ આવે છે. શાંતિ-આ રાક્ષસ નથી, કિન્તુ એ નિર્વીર્ય છે. કહ્યું ત્યારે એ કેણ હશે ? શાંતિ-સખિ! પિશાચ હેય એવી શંકા થાય છે. કરણ–સખિ ! ચળકતાં કિરણોની માળાથી લેકને પ્રકાશિત કરનાર સૂર્ય જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy