SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૮] દર્શન અને ચિંતન મુખી સંમિલિત ન થાય તેને દરેક વૃત્તિથી બહિષ્કૃત કર. એક દક્ષ બ્રાહ્મણે આ વૃદ્ધ કથનને સભામાં ત્રણ વાર ઉચ્ચ સ્વરથી તાળીપૂર્વક સૌને કહી સંભળાવ્યું. અને સૌને કહ્યું કે જે જવામાં પરાભુખ થશે તેને માથે અસત્ય આદિનાં બધાં પાપ છે. બધાને જતાં જોઈ કુમારપાલે બેલાવી કહ્યું કે ભિન્ન ભિન્ન ગાત્રવાળા બધા બ્રાહ્મણને કૃષિકર્મ અને ભિક્ષાટન જરૂર કરાવીશ. એ સાંભળી બધા વ્યથિત થયા, પણ ત્રણ હજાર બ્રાહ્મણએ તો એમ ઠરાવ્યું કે આપણે રામેશ્વર જવું જ, એ નિશ્ચય માટે અંદર અંદર દરેકે હસ્તાક્ષર કર્યા. અહીં વેદત્રયી નાશ પામે છે અને ત્રિમૂર્તિ કુપિત થાય છે, માટે અઢાર હજાર જણાએ રામેશ્વર જવું. આ ઠરાવ સાંભળી કુમારપાળે ગોભુજ વાણિયાઓને બેલાવી એ બ્રાહ્મણોને રોકવા કહ્યું. વ્યાસ કહે છે કે જે ગે ભુજ શ્રેષ્ઠ વાણિયાઓ જૈનધર્મમાં લિપ્ત ન હતા તેઓ આજીવિકાભંગના ભયથી મૌન રહ્યા અને રાજાને કહ્યું કે હે નૃપ ! આ કુપિત બ્રાહ્મણને કેવી રીતે રેકીએ ? એ તે શાપથી બાળી નાખે. કુમાળપાળે અડાલય (અડાલજ) માં થયેલા શોને બોલાવી કહ્યું કે તમે બ્રાહ્મણને રેકે. એ અડાલયજ શ માં કેટલાક જૈન હતા; તેથી તેઓએ રામેશ્વર જવા તત્પર બ્રાહ્મણને સંબોધી કહ્યું કે વર્તમાન કાળમાં રામ ક્યાં છે ? લમણ ક્યાં છે? અને હનુમાન ક્યાં છે ? અરે બ્રાહ્મણે ! આવા ભયાનક જંગલમાં ઘરબાર, યાં છોકરાં મૂકી એ દુષ્ટ શાસનવાળા રાજ્યમાં શા માટે જાઓ છે ? આ સાંભળી કેટલાક બ્રાહ્મણે રાજભયથી અને લાલચથી ચલિત થઈ જુદા પડ્યા અને કહ્યું કે બીજાઓ ભલે જાય આપણે તે કુમારપાળની આડે આવવાના નથી. ખેતી કરીશું, અને ભિક્ષાટન પણ કરીશું. આ રીતે પંદર હજાર જુદા પડથા. બાકીના ત્રણ હજાર ત્રિવેદી એટલે ત્રવિદ્યરૂપે વિખ્યાત થયા. બીજા પંદર હજારને રાજનો એ ભાગ અને થોડી પૃથ્વી આપી. એટલે તેઓ ચાતુર્વિદ્યરૂપે વિખ્યાત થયા. વળી રાજાએ કહ્યું, તમને વને કન્યા આપે, તમે કન્યા . પેલા ત્રણ હજાર ત્રિવેદીઓને રાજાએ કહ્યું કે તમે મારું માનતા નથી માટે તમારી વૃતિ કે સંબંધ કશું નહિ થાય. આ સાંભળી પેલા કટ્ટર ઐવિદ્યો સ્વસ્થાને ગયા. પેલા ચાતુર્વિદ્યએ ત્રિવેદીઓને સમજાવ્યું કે તમે ન જાવ અથવા જાવ તે જલદી પાછા આવે, જેથી રામે દીધેલ શાસનને જલદી ઉપભોગ કરે. એ સાંભળી ત્રવિદ્યાએ કહ્યું કે તમારે અમને કશું કહેવું નહિ. રામચંદ્ર જે વૃત્તિ બાંધી આપી છે તે જપ, હોમ, અર્ચન દ્વારા મેળવવા ત્યાં પાછા જઈશું. ચાતુર્વિધ્રોએ કહ્યું કે અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy