________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૧૩૭ રાજા–અહિંસા એ પરમ ધર્મ, પરમ તપ, જ્ઞાન અને પરમ ફલ છે. સુક્ષ્મ અને સ્થૂલ બધા કીટ, પતંગ આદિ પ્રાણીઓમાં જીવ સમાન જ છે. હે વિ! તમે હિંસક પ્રવૃત્તિ શાને કરે છે? એ વચન સાંભળી બ્રાહ્મણ ગુસ્સે થયા અને આંખો લાલ કરીને બેલ્યા–હે નૃપ ! અહિંસા પરમ ધર્મ છે, એ તે તે સાચું કહ્યું, પણ વેદવિહિત હિંસા હિંસા નથી એવો નિર્ણય છે. શસ્ત્રથી જે હિંસા થાય છે તે જ જંતુઓને પીડાકારી છે. અને તેથી તે હિંસા અને અધર્મ કહેવાય છે, પણ શસ્ત્રો વિના વેદમંત્રોથી જ્યારે પ્રાણીએને મારવામાં આવે છે ત્યારે તે સુખદાયી હોવાથી અધર્મ નથી. વૈદિક હિંસા કરવાથી પાપ લાગતું નથી.
રાજા–બ્રહ્માદિ દેવેનું આ અનુપમ ધર્મક્ષેત્ર છે. પણ અત્યારે એ દે અહીં નથી. તમે કહેલે ધમ પણ અહીં નથી. જે રામને દેવ કહે છે તે તે માણસ હતો. જેને તમારા રક્ષણ માટે મૂકેલો તે લંબપુરસ્ક (હનુમાન) કયાં છે ? જે તમને મળેલું શાસન મારા જોવામાં નહિ આવે તે હું તેને પાળનાર નથી. બ્રાહ્મણો ગુસ્સે થઈ બેલ્યા : “હે મૂઢ! તું ઉન્મત્ત થઈ આ શું બેલે છે? દૈત્યોના વિનાશ અને ધર્મના રક્ષણ માટે રામે ચતુર્ભુજ મનુષ્યરૂપ લીધું હતું.
રાજા–“એ રામ અને હનુમાન કયાં છે ? જે હોય તે તમારી મદદ આવે. રામ, લક્ષ્મણ કે હનુમાનને બતાવે. તેઓના હેવાની કાંઈ સાબિતી આપે.
બ્રાહ્મણે બેલ્યા–હે નૃપ ! અંજની સુતને દૂત કરી રામદેવે ૧૪૪ ગામ આપ્યાં. ફરી આ સ્થાને આવી ૧૩ ગામ આપ્યાં અને ૧૬ મહાદાને આપ્યાં તેમજ ૫૬ બીજા ગામે પણ સંકલ્પ કર્યો. ૩૬૦૦૦ ગભૂજ થયા. સવાલાખ વાણિયા થયા, જેની માંડલિય સંજ્ઞા હતી.”
રાજા બોલ્યો : “મને હનુમાન બતાવો કે જેના એંધાણથી હું તમને પૂર્વ સ્થિતિમાં મૂકું. જે હનુમાનની ખાતરી આપશે તે વેદધર્મમાં રહેશે, નહિ તે જૈનધર્મી થવું પડશે.” એ સાંભળી બધા બ્રાહ્મણ ખિન્ન મને ઘેર આવ્યા, અને એક મેળાવડો કર્યો, જેમાં બાળ, યુવાન, વૃદ્ધો બધાં હતાં. તેમાંથી એક વૃદ્ધે કહ્યું કે “આપણે બધા વર્ગોમાંથી એક એક મુખિયાએ મળી, નિરાહાર ત્રતે, રમેશ્વર સેતુબંધે જવું ત્યાં હનુમાન છે, ત્યાં જઈ જપ કરવો, એટલે રામચંદ્ર મહેર કરી આપણ બ્રાહ્મણોને અચલ શાસન આપશે. જે વર્ગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org