________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાનુ` દિગ્દર્શન
[ ૧૧૧૧
ગૌરવ ઘટાડવાની પુરાણકારાની પદ્ધતિ મુખ્યપણે એક જ ફળદ્રુપ કલ્પનાને આભારી છે. તે કલ્પના એ છે કે કાઈ એ પક્ષ લઢે, તેમાંથી એક હારે. હારનાર પક્ષ વિષ્ણુદિ પાસે મદદ મેળવવા જાય; એટલે વિષ્ણુઆદિ દેવા જીતનાર પક્ષને નિર્મૂળ બનાવવા તેના મૂળ (વૈદિક) ધમ થી ભ્રષ્ટ કરી અવૈદિક ધર્મ સ્વીકારાવવા માયા પ્રગટાવે. છેવટે જીતનાર પક્ષને અવૈદિક ધર્મ દ્વારા નિષ્ફળ બનાવી લડાઈમાં ખીજા પક્ષને વિજય અપાવે. અને એ રીતે અવૈદિક ધર્મો પ્રથમ વિજયી પણ પછી પરાજિત પક્ષની નિષ્ફળતાના સાધનરૂપે અસ્તિત્વમાં આવે. આ કલ્પનાના ઉત્પાદક ગમે તે હોય પણ તેને ઉપયોગ પુરાણામાં જુદે જુદે રૂપે થયેલા છે. પ્રસંગ બદલી, વક્તા, શ્રોતા અને પાત્રના નામમાં પરિવર્તન કરી ઘણેભાગે એ એક જ કપાને ઉપયોગ જૈન, બૌદ્ધ આદિ અવૈદિક ધર્મોની ઉત્પત્તિની ખામતમાં પુરાણકારાએ કરેલ છે.
૧. પહેલાં વિષ્ણુપુરાણ લઈએ. તેમાં મૈત્રેય અને પરાશર વચ્ચે સવાદ મળે છે. એ સંવાદમાં જૈન અને બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ જણાવવામાં આવી છે. મૈત્રેય પરાશરને પૂછે છે કે નગ્ન એટલે શુ ? એના ઉત્તર આપતાં પરાશરે દેવાસુરયુદ્ધના પ્રસંગ લઈ નગ્નની વ્યાખ્યા આપી છે. તેણે કહ્યું છે કે જ્યારે દેવા હાર્યાં અને અસુરાજય પામ્યા ત્યારે વિષ્ણુએ અસુરોને નબળા પાડવા તેઓનું વેધરૂપ કવચ છીનવી લેવા એક માયામાહ ઉત્પન્ન કરી તેની મારફત જૈન અને બૌદ્ધ આદિ વેક્ખાદ્ય ધર્મો અસુરામાં દાખલ કરાવ્યા. એ વેદભ્રષ્ટ થયેલા અસુરે જ નગ્ન. પરાશરે એ નગ્નના સ્પર્ધામાત્રમાં સખત દ્વેષ બતાવી આગળ જતાં તેની સાથે વાતચીત કરવામાં પણ કેટલા મહાન દોષ લાગે છે તે જણાવવામાં એક શતધનુ રાજા અને શૈખ્યા. રાણીની પુરાતન આપ્યાયિકા આપી છે.
૨. મત્સ્યપુરાણમાં રજિરાજાની એક વાત છે. તેમાં પણ દેવાસુરયુદ્ધનો પ્રસંગ આવે છે. એ પ્રસંગમાં રજિની સેવાથી પ્રસન્ન થઈ ઇન્દ્ર પાતે તેના કૃત્રિમ પુત્ર અને છે, અને તેના રાજ્યના વારસો મેળવે છે. રજિના સાચા સા પુત્રા ઇન્દ્રને હરાવી તેનું સસ્વ છીનવી લે છે. એટલે ઇન્દ્રની પ્રાથૅનાથી બૃહસ્પતિ પેલા સા રાજપુત્રાને નબળા પાડવા તેમાં જૈન ધર્મ દાખલ કરે છે અને તેઓને મૂળ વેધમથી ભ્રષ્ટ કરી નાખે છે. એટલે ઇન્દ્ર એ રાજપુત્રાને હણી પેાતાનું સ્વત્વ પાછું મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org