________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનુ દિગ્દર્શન
[૧૧૧૧ વૈદિક સંપ્રદાયના બે વૈષ્ણવ અને શવ પંથે વચ્ચે એટલે સુધી વિરોધ નજરે પડશે કે, “શિવ’નું નામ ન લેવાય તે માટે વૈષ્ણવ દરજીને “કપડું શીવ” એમ પણ નહિ કહે. આ રીતે ભિન્ન ભિન્ન સંપ્રદાયના લેકે એક જ દેશ અને એક જ કાળમાં સાથે રહેતા તથા અનેક હિતાહિતના પ્રશ્નમાં સમાન ભાગીદાર હોવા છતાં તેઓના જીવનમાં સાંપ્રદાયિક કટુકતા અને વિરોધની લાગણું પુષ્કળ રહેલી જણાશે.
આ બે પ્રકારના વિરોધમાં બ્રાહ્મણ અને શ્રમણનો વિરોધ પ્રથમ પ્રકારમાં વૈયાકરણએ ગણેલો છે; એટલે તે વિરોધ જાતિ–શત્રુતારૂપ છે. બ્રાહ્મણો એટલે સામાન્ય રીતે વેદપ્રતિષ્ઠાપક વર્ગ અને શ્રમણ એટલે વેદમાં ન માનનાર કે વેદવિરોધી વર્ગ. આ બંને વચ્ચેનો વિરોધ કારણિક જણાય છે છતાં તે વિરોધને વૈયાકરણએ જાતિવિધ કહ્યો છે એમાં ખાસ રહસ્ય સમાયેલું છે. જેમ બિલાડી ઉંદરને જુએ કે તેને પિત્તો ઊછળે અથવા જેમ નકુલ સર્પને જુએ કે તેનો કાબૂ જાય તેમ બ્રાહ્મણો અને શ્રમણે એકબીજાને જોઈ ક્રોધાવિષ્ટ થઈ જાય છે એ અભિપ્રાય વૈયાકરણના જાતિવિરેાધકથનમાં રહેલો છે.
ખરી રીતે બ્રાહ્મણ અને શ્રમણો એકબીજાની સાથે પડોશમાં રહે છે, અનેક કાર્યોમાં સાથે જોડાય છે અને ઘણીવાર તો વિદ્યામાં ગુરુ-શિષ્યને સંબંધ પણ ધરાવે છે. આવી સ્થિતિમાં તેઓને સર્પન્નકુલ જેવા જન્મશત્રુ કહેવા એ ખાસ અર્થસૂચક છે. અને તે એ કે એકવાર ધાર્મિક મતભેદ નિમિતે ઊભો થયેલ વિધ એ બંનેમાં એટલે સુધી તીવ્ર થઈ ગયું કે એક વર્ગ બીજા વર્ગને જોઈ હૃદયમાં સ્વાભાવિક રીતે જ ચિડાઈ જાય. જેને આજે પણ પ્રાચીન પ્રકૃતિના બ્રાહ્મણ અને શ્રમણને કાંઈક પરિચય હશે તે આ હકીક્તને જરા પણ નિર્મૂળ નહિ કહે. અનેક વ્યવહારમાં સાથે જોડાવા છતાં પણ ધર્માભિમાની બંને વર્ગે પ્રસંગ આવતાં એકબીજા વિષે કાંઈક લસતું બોલવાના જ. આ ઊંડા ધાર્મિક મતાંધતાના વિરોધને કારણિક વિરોધ કરતાં વધારે તીવ્ર જણાવવા ખાતર વૈયાકરણેએ જાતિવિરોધની કક્ષામાં મૂકેલે છે. જોકે વસ્તુતઃ જાતિવિરોધ તો નથી જ.
શ્રમણમાં વેદવિરોધી બધાએ આવે છે. બૌદ્ધ, આજીવક, જૈન એ હવે સાંપ્રદાયિક્તાના વિશેષ પુરાવાઓ તપાસીએ. પહેલાં વૈદિક સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org