________________
૧૦૧૦ 1
દર્શન અને ચિંતન જે વિધી સંપ્રદાયની ટીકા કરતા હોય છે તે સંપ્રદાયના અભિમાનીઓને આવેશ ઉત્પન્ન કરે તેવા પણ છે. છતાં એવા નમૂનાઓ આ લેખમાં રજા કરવાનો ઉદેશ એ નથી કે તેથી કોઈને આઘાત પહોંચે અગર કોઈ પણ સંપ્રદાયની લેશ પણ અવમાનના થાય. અહીં કેવળ અતિહાસિક દૃષ્ટિથી જ નિરૂપણ કર્યું છે. અને અભ્યાસીઓને તે દૃષ્ટિથી જ વિચારવા વિનંતી છે.
પુરાવાઓના પ્રકારે –મતાંધતાના પુરાવાઓના નમૂનાઓ બે પ્રકારના મળે છે : (૧) શાસ્ત્રોમાંથી અને (૨) વ્યાવહારિક જીવનમાંથી. શાસ્ત્રો એ જીવનનું પ્રતિબિંબ છે; જે ભાવના, જે વિચાર, કે જે વર્તન જીવનમાં ન હોય તે શાસ્ત્રમાં ક્યાંથી આવે ? જે શાસ્ત્રમાં હોય તે ભાવી. પેઢીના જીવનમાં ઊતરે છે.
જનતાના સાંપ્રદાયિક જીવનમાં દાખલ થઈ નારને કાને અવિચારી અસહિષ્ણુતાને વનિ પડશે, કાશી, બિહાર, અને મિથિલાના બ્રાહ્મણોને જૈન સંપ્રદાય વિષે તે એમ કહેતા સાંભળશે કે જેને નાસ્તિક છે, કારણ, તેઓ વેદમાં માનતા નથી, બ્રાહ્મણને ધર્મગુરુ લેખતા નથી, ઊલટું બ્રાહ્મણને અપમાનિત કરવા કે દુઃખ દેવા જેને પિતાથી બનતું કરે છે. બ્રાહ્મણને પિતાને ઘેર નેતરી માંકડથી ખદબદતા ખાટલામાં તેને સુવાડી તેના લેહીથી માંકડોને તૃપ્ત કરી દયાવૃત્તિનું પાલન કરવું એ જૈનનું કામ છે. જૈનત્વાભિમાની ગૃહસ્થ કે ભિક્ષને બ્રાહ્મણધર્મ વિષે એમ કહેતા જરૂર સાંભળશે કે તેઓ મિથ્યાત્વી છે. જ્ઞાન ગમે તેટલું હોય તો પણ તેઓ તત્વને પામ્યા જ નથી, તેઓ દૈવી અને સ્વાર્થી છે. બૌદ્ધ ઉપાસક કે ભિક્ષુ પાસે જાઓ તે તેવી જ કટુક વાતો બીજા ધર્મ વિષે જરૂર સાંભળે. આ જ કારણથી અંદર અંદરના કાયમી વિધના અર્થમાં સંસ્કૃત વૈયાકરણોએ અન્ય ઉદાહરણોની સાથે બ્રાહ્મણશ્રમણ એ ઉદાહરણ આપેલું છે. આ ઉપરાંત એક જ
૧. વિધિ બે પ્રકાર છે. જાતિ વિરોધ અને નૈમિત્તિક વિરોધ. જાતિ વિરોધને જન્મવૈર અને બીજા વિધિને કારણિક વૈર કહેવામાં આવે છે. સપ અને નોળિયા વચ્ચેનું, ઉંદર અને બિલાડી વચ્ચેનું વૈર જન્મવેર છે. દેવ અને અસુરે વચ્ચેનું પૌરાણિક યુદ્ધ કારણિક વૈર છે. કારણ કે તે એકલા પિતે જ અમૃત કે સ્વર્ગાદિ મેળવી લેવું અને બીજો મેળવવા ન પામે એવા લેભમાંથી જન્મેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org