SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ અનુશીલન [ ૧૧૦૩ એમ કરતાં જ્ઞાન અને ચારિત્રની એવી સ્થિતિ આવે છે કે પછી કમ તેના ઉપર કાઇ પણ જાતની અસર કરી શકતાં જ નથી. આ જ સ્થિતિ મેાક્ષ છે. આ લેખમાં સભાન દાન આપનાર અને સભાનપણે પામનાર વચ્ચે જે વૃત્તિભેદને કારણે ફેર બતાવ્યો છે તે જૈન પર પરાના ગ્રન્થ સમજવામાં ઉપયેગી છે. વળી ક ખ ગ ધ એ ચારે દાનકર્માદિ છોડી દે અને ૫ ક્ ઞ ભ ચારે અન્ન ન પામે, ભૂખ્યા રહે તે ત્યાં પણ જુદી જુદી અસર દેખાય છે. એટલે પ્રવૃત્તિ કે પરાત્તિમાં ફેર નથી પડતા; પણ જો કાઈ શુદ્ધ આશયથી સભાનપણે એ ચારે દાન આપે અને ચારે લે તે તેમાં કાંઈ ભેદ નહિ જણાય. ચારે લેનાર કે દેનારનાં જ્ઞાન કે ચારિત્ર ઉપર કુસંસ્કારની રજ નહિ પડે, ઊલટાં તે વધારે જળહળશે. કારણ કે એની પાછળ વિવેક, સમભાવ, ક વ્યષુદ્ધિ અને અનહંકાર છે. આ લેખ બહુ જ ગેરસમજ દૂર કરનારા હાવાથી સર્વોપયોગી છે, અને એ ભ્રમણાનિરાસ કરાવનારા છે. કમજોર સાત્ત્વિકતાની પેઠે આ લેખ ધવમાં ચલાવવા જેવા છે, અથવા અધિકારીતે વાંચવાની ભલામણ કરવા જેવા છે. તત્ત્વજ્ઞાનના કેટલાક ગહન લેખા અમુકને માટે જ ઉપયોગી છે, જ્યારે કમજોર સાત્ત્વિકતા અને કક્ષયવાળા લેખ સર્વાંગમ્ય જેવા છે. તેથી એ ઉચ્ચ વર્ગોમાં સમજાવવા લાયક છે. આ એ અને બીજા એવા કેટલાય લેખા અમુક કક્ષાના જિજ્ઞાસુની દૃષ્ટિએ જુદા તારવી પાવવા અને ધ વર્ગો માં ચલાવવા જેવા છે. એમાં સંકલ્પસિદ્ધિ અને જય જેવા લેખાને પણ સ્થાન છે. ૧૭. ધર્મ અને તત્ત્વજ્ઞાન આધ્યાત્મિક શોધ કરતી વખતે આંતરવલોકન, પૃથક્કરણ અને વાસના— શોધન તે! સ્વપૂરતું જ-વ્યક્તિપૂરતું જ, પ્રત્યક્રિમાન પૂરતું જ કરવાનું હેાય છે. એ જેમ જેમ થાય તેમ તેમ વ્યક્તિત્વ કે જીવવ આસરતું જાય છે અને તેમાંથી પરિણમતા આચાર તેટલા પ્રમાણમાં વ્યાપક અને મહાયાની ખને છે. અને છેવટે સર્વના કલ્યાણથી અતિરિક્ત સ્વકલ્યાણ કે સ્વમુક્તિ ભાસતી જ નથી. જો જગતના મૂળમાં એક જ ચૈતન્ય છે એમ માન્યું હાય તા કાઈ પણ મુમુક્ષુ વ્યક્તિગત મેાક્ષ કલ્પી શકે નહિ. તેમાં જ સતુષ્ટ રહી શકે. અને જો જગતના મૂળમાં અનેક ચેતન છતાં તે સમાન છે એમ માન્યું તાપણુ કાઈ મુમુક્ષુ વૈયક્તિક મેક્ષને આદર્શ સાધી સંતુષ્ટ થઈ શકે નહિ; કેમ કે તાં તેા તેને સમાનતાના સિદ્ધાન્ત જ હણાય. એકચૈતન્યવાદી હોય કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy