________________
૧૧૦૪]
દર્શન અને ચિંતન અનેક સમાન–ચતન્યવાદી હેય—અને સાચા મુમુક્ષુ હોય તે તેણે મહાયાની થવું જ રહ્યું. એમ લાગે છે કે આ જ કારણથી મહાયાનની ભાવના ઉદયમાં આપમેળે આવી હશે. વૈયક્તિક મોક્ષને વિચાર કાં તે ચેતનવૈષમ્યના વિચારમાંથી, કાં તે પુણ્ય–પાપકૃત સહજ અને અનિવાર્ય વૈષમ્યના વિચારમાંથી જે જાતિવાદી કર્મકાંડ ચાલેલો તેના જ અવશેષરૂપે સંભવે છે. જ્યારે મોક્ષની કલ્પના ન હતી કે નહિ હોય ત્યારે પણ લોકે પુણ્ય દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા, પણ તે પ્રયત્ન પિતા પૂરતું જ હતો. આ સંસ્કાર વારસાગત થઈ ગયે. જ્યારે મોક્ષની ભાવના દાખલ થઈ ત્યારે પણ એ જ વૈયક્તિક ઉચ્ચતાપ્રાપ્તિના સંસ્કારને લીધે વૈયક્તિક મેક્ષનું જ વલણ રહ્યું ને હજી લગી ચાલુ છે. પણ આત્મસમાનતાવાદ અગર આત્મજ્જવાદની સાથે
એને મેળ નથી. સમાનતા અને એકતાની અનુભૂતિ તે સર્વમુક્તિ દ્વારા જ થઈ શકે. એટલે સર્વમુક્તિની દૃષ્ટિએ જ મુમુક્ષુનો આચાર-વ્યવહાર હવે ઘટે; એ જ આદર્શ હોઈ શકે. “આપણે રીઢા વ્યક્તિવાદી બન્યા. જેને પિતાના જ હિતની વધારે ચિંતા લાગે અને જગતની બિલકુલ ન લાગે, તે વધારે સાચો મુમુક્ષુ કહેવાય.” (પૃ. ૧૮૮.)
એ ઉપરથી મુદ્દો એ ફલિત થાય છે કે આધ્યાત્મિક સાધના વખતે અને સિદ્ધિ પછી પ્રથમ હિનયાની માનસ નિવારવું ઘટે.
વૈષમ્યની અવસ્થા વખતે તેની આપત્તિ માટે જે કર્મવાદ વૈયક્તિક દૃષ્ટિએ વિચારાયેલો તે જ સમાનતા અને અદ્વૈતની અવસ્થા વખતે પણ તે જ રીતે વિચારવામાં આવ્યો. અને એ સામાજિક કર્મફળ ભોગવાય છે. એકનું કર્મ બીજામાં ફળ આપે છે. એ સામાજિક કર્મફળવાદ. કોઈ એકનું કર્મ માત્ર તેનામાં જ સમાપ્ત થાય છે અને બીજાને તેને અનુભવ થતો જ નથી, આ વિચાર તે વૈયક્તિક કર્મવાદ છે. આથી ઊલટું તે સામાજિક કર્મવાદ. પુ. નં. ૨૦૬, નં. ૩૬. - અહીં જે વ્યક્તિમાત્રને પરસ્પર અનિવાર્ય સંબંધ કહ્યો છે, કોઈ બીજાથી સાવ છૂટું ન હોવાની વાત કહી છે તે વસ્તુતઃ સાર્વજનિક કલ્યાણમય આચાર સ્થાપવાની વૃત્તિમાંથી ઉદ્ભવેલ છે અથવા એ જ તત્વજ્ઞાનને આધારે સાર્વજનિક આચાર ઘડા જોઈએ એવું વિધાન ઈષ્ટ છે. આ તત્ત્વજ્ઞાનનો. વાદ દ્રવ્ય–પર્યાયમાં, બ્રહ્મ-જીવમાં, વ્યષ્ટિ-સમષ્ટિમાં, અંશાંશીમાં છે તો ખરે, પણ તે આચારપર્યવસાયી નથી બન્યો. ચિત્ય અવસ્થાના વ્યક્તિવાદ વિષયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org