SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ન્યાયના ક્રમિક વિકાસ [ ૧૦૮૩ છતાં પુષ્પ એ પલ્લવાની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતને વિશિષ્ટ પરિપાક હાય છે. ખીજા યુગમાં જૈન ન્યાયના જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયાં તેને પરિણામે ત્રીજો યુગ જન્મ્યા. આ યુગમાં અને આ પછીના ચોથા યુગમાં દિગબર આચાર્યોએ ન્યાય વિષયક કેટલાક પ્રથા રચ્યા છે, પણ હજી સુધી મારી નજરે એવા એકે ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈન ન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજા યુગના શ્વેતાંબર સંપ્રદાયમાં વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર એ એનું મુખ્ય સ્થાન છે. એ ખરુ કે આયા હેમચંદ્રની પરિચિત કૃતિઓમાં જૈન ન્યાય વિષયક બહુ કૃતિએ નથી, તેમ પરિમાણમાં માટી પણ નથી. છતાં તેની એ ખત્રીશી અને પ્રમાણમીમાંસા જોનારને પોતાની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહીં રહે અને એમ આપે!આપ જણાશે કે મોટા મોટા અને લાંખા લાંબા ગ્રંથૈાથી કટાળેલ અભ્યાસીએ માટે સ ંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી અને ફૂલનુ સૌરભ તેમાં આણ્યું. વાદી દેવસૂરિ કાંઈ કંટાળે તેવા ન હતા. તેઓએ તે રત્નાકરની સ્પર્ધા કરે એવા એક સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ રચ્યા અને કાઈ અભ્યાસીને જૈન ન્યાય માટે તેમ જ દાર્શનિક ખંડનમડન માટે ખીજે કયાંય ન જવાની સગવડ કરી દીધી. ચેાથા ફળકાળ છે. તેવી રીતે થયેલા પરિપાક આ યુગમાં જે સાહિત્ય રચાયું તે ફળરૂપ છે. ફળમાં ખીજથી ફૂલ સુધીના ઉત્તરાત્તર પરિપાકના સાર આવી જાય આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં એકસાથે આવી જાય છે. આ યુગમાં જે જૈન સાહિત્ય રચાયું છે, તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે; કારણ કે, ત્યાર બાદ તેમાં કાઈ એ જરાયેમેરા કર્યાં નથી. મલીષેણની સ્યાદ્રાદમજરી ખાદ કરીને આ યુગના ક્લાયમાન ન્યાય વિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તે જણારો કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી. તેના લેખક ફક્ત એક જ છે અને તે સત્તરમા—અઢારમાં સૈકામાં થયેલા, લગભગ સા શરદે સુધી મુખ્યપણે શાસ્ત્રયાગ સિદ્ધ કરનાર સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને મારવાડી એ ચારે ભાષાઓમાં વિવિધ વિષયાની ચર્ચા કરનાર ઉપાધ્યાય યશોવિજયજી છે. ઉપાધ્યાયજીના જૈન તત્ત્વજ્ઞાન, આચાર, અલકાર, છંદ વગેરે અન્ય વિષયાના ગ્રંથોને બાદ કરી માત્ર જૈન ન્યાય વિષયક ગ્રંથો ઉપર નજર નાખીએ તે! એમ કહેવુ પડે છે કે, સિદ્ધસેન ને સમતભદ્રથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy