SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૨ ] દર્શન અને ચિંતન તત્કાલીન ભારતીય સમસ્ત દર્શનનું નિરૂપણ કરનાર બીજી કઈ કૃતિ તેનાથી પ્રાચીન ન મળે ત્યાં સુધી દર્શનસંગ્રહ કરવાનું પ્રાથમિક ગૌરવ સિદ્ધસેનને આપનું જોઈએ. સિદ્ધસેનની એક વેદવાદ ત્રિશિકા જોતાં એમ તુરત ભાસે છે કે, તેમણે વેદ અને ઉપનિષો મૌલિક તેમ જ તલસ્પર્શી અભ્યાસ કરેલો. સિદ્ધસેન દિવાકરનો પ્રસિદ્ધ ગ્રંથ સમ્મતિ તર્ક છે, જે પદ્યમય પ્રાકૃતમાં ત્રણ ભાગમાં કુંદકુંદના પ્રવચનસારની પેઠે પૂરે થયેલું છે. આ ગ્રંથ ઉપર શ્વેતાંબર અને દિગંબર એમ બને આચાર્યોએ ટીકાઓ રચી છે. તેમાં વર્ણવેલા સિદ્ધાંત એટલાં સતર્ક અને હૃદયગ્રાહી છે કે આગળના આચાર્યો પણ તેથી વધારે મૂળ વસ્તુ કહી શક્યા નથી. સમંતભદ્રની ઉપલબ્ધ કૃતિઓમાં સિદ્ધસેનના ન્યાયાવતાર જેવી કે વૈદિક યે દર્શન અને બૌદ્ધ દર્શનનું નિરૂપણ કરનાર બત્રીશીઓ જેવી કઈ કૃતિ નથી. વાચકોએ સિદ્ધસેનની ઉપલબ્ધ એકવીશ બત્રીશીઓ અને સંમતભદ્રની આમીમાંસા, યુકચનુશાસન અને સ્વયંભૂસ્તોત્ર એ એકસાથે સામે રાખી અવલેકવાં, જેથી બન્નેનું પરસ્પર સાદસ્ય અને વિશેષતા આપોઆપ ધ્યાનમાં આવશે. બીજા ભાગનું પલ્લવિતકાળ એ નામ રાખ્યું છે, તેને અભિપ્રાય એટલે છે કે, સિદ્ધસેન અને સમંતભદ્ર દ્વારા બન્ને સંપ્રદાયમાં જે જૈન ન્યાયનું બીજારે પણ થયું, તેને જ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અકલંક, વિદ્યાનંદ અને પ્રભાચંદ્ર એ એ ત્રણ પ્રધાન આચાર્યોએ મુખ્યપણે જેને ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. શ્વેતાંબરમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જન ન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યું છે. મત્સ્યવાદી, હરિભદ્ર અને રાજગચ્છીય. અભયદેવ-એ ત્રણેએ અનુક્રમે કાંઈ ને કાંઈ વધારે વિશેષતા એપ છે. અકલંક આદિ ત્રણે દિગંબર આચાર્યોએ જેને ન્યાયના સ્વતંત્ર ગ્રંથ લખ્યા છે, અને સંમતભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણીને પલવિત પણ કરી છે. તેવી જ રીતે મલ્યવાદી વગેરે આ યુગના શ્વેતાંબર આચાર્યોએ જૈન ન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયના ગ્રંથ લખ્યા છે અને પોતપોતાની પહેલાંની તર્કવાણને પલવિત પણ કરી છે. તે ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉકત તાંબર ત્રણ આચા ની કૃતિઓ બરાબર સામે રાખી જોવામાં આવે તે એક બીજા ઉપર પડેલે પ્રભાવ પરસ્પરનું સાદશ્ય અને વિશેષ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી.. | ત્રીજા ભાગનું નામ પુષ્પિતકાળ છે. પુષ્પ કાંઈ સંખ્યામાં પલ્લા જેટલાં નથી હોતા, કદાચિત પુષ્પનું પરિમાણ પલ્લેથી નાનું પણ હૈયુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy