SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચાયને ક્રમિક વિકાસ [ ૧૦૮૧ પ્રમાણે છે. આ બે આચાર્યોની ઉત્તર સીમા ઈ. સ. પાંચમા સૈકાથી આગળ લંબાવી શકાય તેમ નથી અને પૂર્વ સીમા લગભગ ઈ. સ. ના આરંભ પહેલાં નિર્દિષ્ટ કરી શકાય તેમ નથી. સિદ્ધસેન અને સમન્તભદ્ર ઃ એ બન્નેની કૃતિઓ સંપ્રદા જુદા હોવા છતાં એ બન્નેનું એક એવું પરંપરાગત સામ્ય છે કે જે તરફ ધ્યાન ગયા વગર રહેતું નથી. દિગંબર સંપ્રદાયમાં ગંધહસ્તિના નામથી સમંતભદ્ર પ્રસિદ્ધ છે. અને તત્વાર્થ ઉપરની ગંધહસ્તિમહાભાષ્ય ટીકા તેઓની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે અને ઉપલબ્ધ આપ્તમીમાંસા તે જ મહાભાર્થનું મંગલ મનાય છે. શ્વેતાંબર સંપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર ગંધહસ્તિ કહેવાય છે અને તત્ત્વાર્થ ઉપર તેઓએ ગંધહસ્તિમહાભાષ્ય રચ્યું હતું એમ મનાય છે. બન્ને સંપ્રદાયની આ માન્યતાઓ નિરાધાર નથી, કારણ કે બને સંપ્રદાયના ઘણુ ગ્રંથમાં તે બાબતના સૂચક ઉલેખો મળી આવે છે. આ બે આચાર્યોની વિશેષતા છેડામાં આ પ્રમાણે બતાવી શકાય. સંમતભદ્ર પિતાના દરેક ગ્રન્થમાં જૈન દર્શન, તેના પ્રણેતા અહમ્ અને તેને સિદ્ધાંત અનેકાંત એટલાં તરોની તર્ક પદ્ધતિએ ઓજસ્વિની પ્રવાહબદ્ધ સંસ્કૃત ભાષામાં સૂક્ષ્મ ચર્ચા કરે છે, અને સાથે સાથે અન્ય દર્શને, તેના પ્રણેતાઓ અને એકાંતને સોપહાસ પ્રતિવાદ કરે છે. તેઓની ઉપલબ્ધ કૃતિઓ જોતાં એમ જણાય છે કે, સમતભદ્ર તર્કસિદ્ધ દાર્શનિક મીમાંસા કરવામાં સિદ્ધહસ્ત હતા. સિદ્ધસેન દિવાકરે પણ જૈન દર્શન, તેના પ્રણેતા તીર્થકર અને સ્વાદ્વાદ એ વિષયોની તાર્કિક પદ્ધતિએ પ્રતિષ્ઠા કરવા સાથે અન્ય દર્શનેને સપરિહાસ નિરાસ કર્યો છે. તેઓની મધુર અને પ્રાસાદિક રવતસિદ્ધ સંસ્કૃત ભાષાને પદ્યપ્રવાહ જોઈ આચાર્ય હેમચંદ્ર તેઓને કવિશ્રેષ્ઠ જણાવવા “મણિ રચ” એ ઉદાહરણ ટાંક્યું છે. સિદ્ધસેને જૈન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેને સંક્ષેપમાં અભ્યાસ કરવા ઈચ્છનાર માટે ન્યાયાવતાર નામને એક નાનકડે પદ્યમય ગ્રંથ રચ્યો છે, જેની મર્યાદાને આજ સુધીના સમગ્ર પ્રસિદ્ધ શ્વેતાંબર-દિગંબર વિદ્વાને અનુસર્યા છે. તે સિવાય તત્કાલીન સમગ્ર ભારતીય દર્શનેને સંક્ષેપમાં પણ મૌલિક અભ્યાસ કરવા ઈચ્છનાર માટે તે છે દર્શનનું યથાર્થ સ્વરૂપ બતાવનારા પદ્યમય ગ્રંથ રહ્યા છે અને એ રીતે આચાર્ય હરિભદ્રને દર્શનસમુચ્ચય રચવાની અને માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ રચવાની કલ્પનાને ખોરાક પૂરે પાડ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy