________________
૧૦૮૦ ]
દર્શન અને ચિંતન આચાર્યોની પેઠે પિતાની આગમસિદ્ધ ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચવા લાગ્યા. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કઈ ખાસ પ્રમાણ નથી. પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું સામ્રાજ્ય હતું. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તર્ક પદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર શ્વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય ?–એ કહેવું કઠણ છે. પણ એમ કહી શકાય છે કે, બન્ને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. જેને ન્યાયનું કાળમાન અને વિકાસની દષ્ટિએ તેના ચાર ભાગો *
શાસ્ત્ર પ્રદેશમાં વિચારક્રાંતિ તથા ભાષા અને શૈલીભેદ થવાને પરિણામે જૈન સાહિત્યમાં રવતંત્ર ન્યાયપદ્ધતિ જન્મ. તેથી પ્રથમ એ જોવું જોઈએ કે આ જૈન ન્યાયનું વય-કાળમાન કેટલું છે અને તેના વિકાસક્રમને સમજવા માટે તેને કેટલા ભાગમાં વહેંચી શકીએ.
જૈન ન્યાયના જન્મસમયની પૂર્વસીમા વધારેમાં વધારે વિક્રમના પહેલા સૈકાથી આગળ લંબાવી શકાતી નથી. અને તેના વિકાસની ઉત્તર સીમાં વિક્રમના અઢારમા સૈકાથી આગળ આવતી નથી. આ રીતે વધારેમાં વધારે જૈન ન્યાયનું કાળમાન અઢારસો વરસ જેટલું આંકી શકાય. પણ ઉત્તર સીમા નિશ્ચિત છતાં વિવાદાસ્પદ પૂર્વ સીમાને ઓછામાં ઓછી પાંચમી શતાબ્દીથી શરૂ કરીએ તેય તેનું કાળમાન તેરસો વરસ જેટલું તે છે જ. ' ' જૈન ન્યાયના વિકાસની ક્રમિક પાયરીઓના ભેદ સમજવા ખાતર તે કાળમાનને સ્થૂળ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. પહેલે ભાગ વિક્રમના પાંચમા સૈકા સુધીન, બીજે છઠ્ઠા સૈકાથી દશમ સુધીને, ત્રીજો ભાગ અગિયાર થી તેરમા સુધીનો અને ચોથે ચૌદમાથી અઢારમા સુધી. આ ચાર ભાગને અનુક્રમે બીજાપણુકાળ, પલ્લવિતકાળ, પુuિતકાળ અને ફળકાળના નામે ઓળખીએ તો જૈન ન્યાયના વિકાસને વૃક્ષના રૂપથી સમજી શકીએ.
જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાની પ્રતિષ્ઠા થતાં જ શરૂઆતમાં ક્યા વિષય ઉપર ગ્રંથ લખાયા એ વિચાર પ્રસ્તુત નથી, પણ જૈન સાહિત્યમાં ન્યાયને સૂત્રપાત કેણે અને ક્યારે કર્યો એટલું જ અહીં કહેવાનું છે. દિગંબર સાહિત્યમાં તક પદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમંતભદ્ર અને શ્વેતાંબર સાહિત્યમાં તર્ક પદ્ધતિની બલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બન્ને આચાર્યમાં કાણ પૂર્વવર્તિ અને કણ પશ્ચાત્વતિ એ હજી નિર્ણત થયું નથી. પણ એ બે વચ્ચે વિશેષ અંતર ન હોવું જોઈએ, એવી સંભાવના માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org