________________
જે ન્યાયને ક્રમિક વિકાસ
[ ૧૦૭૯ જૈન સાહિત્યની પ્રધાન બે શાખાઓ
ભગવાન મહાવીરના સમયમાં જૈન સંધ પ્રધાનપણે મગધ અને તેના આસપાસના પ્રદેશમાં હતો. પછી લગભગ એક સકા બાદ તે સંધ બે દિશામાં વહેંચાયેઃ એક ભાગ દક્ષિણમાં અને બીજે ઉત્તરમાં. ત્યાર બાદ થોડાક સકાઓ વ્યતીત થયા કે તે વહેંચાયેલા બે ભાગે સ્પષ્ટ રૂપે જુદા પડી ગયા. એક દિગંબર અને બીજો શ્વેતાંબર. દક્ષિણવત શ્રમણુસંધ પ્રધાનપણે દિગંબર સંપ્રદાયી થયે, અને ઉત્તરવર્તી શ્રમણુસંધ પ્રધાનપણે વેતાંબર સંપ્રદાયી શે. આ રીતે વિભક્ત થયેલ શ્રમણસંઘે જે સાહિત્ય રચ્યું તે પણ બે ભાગમાં આપોઆપ વહેંચાઈ ગયું પહેલું દિગંબરીય સાહિત્ય અને બીજું શ્વેતાંબરીય સાહિત્ય. મૂળમાં અવિભક્ત જૈન સાહિત્યના આ રીતે મુખ્ય બે ભાગલા પડી ગયા.
દિગંબરીય શ્રમણ સંધનું પ્રાધાન્ય દક્ષિણમાં હોવાથી તે સંપ્રદાયનું મૌલિક સાહિત્ય ત્યાં જ ઉત્પન્ન થયું, પોષાયું, વિકાસ પામ્યું અને સંગ્રહાયું. તે સાહિત્યના રચયિતા પ્રધાન પ્રધાન આચાર્યો જેવા કે કુંદકુંદ, સમત ભદ્ર વગેરે ત્યાં જ થયા. શ્વેતાંબર શ્રમણુસંધનું પ્રાધાન્ય પહેલાં તે ઉત્તર હિન્દુસ્તાન (રાજપુતાના)માં અને ક્રમે ક્રમે પશ્ચિમ હિન્દુસ્તાન (કાઠિયાવાડ, ગુજરાત)માં વધતું ગયું. તેથી તે સંપ્રદાયનું સાહિત્ય ઉત્તર અને પશ્ચિમમાં ઉત્પન્ન થયું અને વિકસ્યું છે. તેમ જ તે સાહિત્યના રચયિતા આચાર્યો પણ તે જ પ્રદેશમાં થયેલા છે. ઉત્તર કરતાં પશ્ચિમ હિન્દુસ્થાનમાં શ્વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લાં લગભગ પંદર વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડમાં અને ગુજરાતમાં લખાયું, રચાયું, પિલાયું, વિકસિત થયું અને સંગ્રહાયું છે. આ રીતે જૈન સાહિત્યની મુખ્ય બે શાખાઓ આપણું નજરે પડે છે. બને શાખાઓના સાહિત્યમાં નવયુગ
આ બન્ને શાખાઓના શરૂઆતના ગ્રંથે જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે, તેની નિરૂપણપદ્ધતિ મંત્રસિદ્ધાંત રૂપે હતી. તવજ્ઞાન હોય કે આચાર હેય, બન્નેનું નિરૂપણ ઉપનિષદુ જેવી સરળ પ્રાચીન પદ્ધતિએ થતું, પણ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ વૈદિક દર્શનમાં ન્યાયદર્શને વિશિષ્ટ સ્થાન અને વિપ્રિયતા મેળવ્યા પછી જન સાહિત્યમાં પણ નવો યુગ દાખલ થયો. ન્યાય દર્શનની તપદ્ધતિને પ્રભાવ બૌદ્ધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બનેની મિશ્રિત અસર જૈન વાડ્મય ઉપર પણ થઈ. તેથી જૈન આચાર્યો પણ બૌદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org