SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૮ ] દર્શન અને ચિંતન સસી જીવેાના પ્રમાણે જ કષાયબન્ધ જરૂર કરી શકે છે. આમ હેવાથી યેાગ્યતાની અપેક્ષાએ અવ્યવહાર–રાશિગત જીવા વિકસિત નહિ, પરન્તુ નિકૃષ્ટ (હીનતમ અર્થાત્ હલકામાં હલકી શ્રેણીના ) જ છે. પરન્તુ આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા યેાગ્ય છે, જેના પર આપણું ધ્યાન હજી ગયું નથી. તે એ કે સન્ની પંચેન્દ્રિય જીવામાં જેમ કષાયની માત્રા અધિક હોય છે, તેમ જ તેની સાથે જ્ઞાન અને વીના ક્ષયાપશમની માત્રા પણ અધિક હૈાય છે. આ ક્ષાયે।પમિક માત્રા પર જ વિકાસના આધાર છે, નૈગાદિક એકેન્દ્રિય જીવમાં સ્પર્શીનેન્દ્રિયાવરણના અત્યંત અલ્પ અંશને તેમ જ વીર્યાન્તરાયના પણ અતિ અલ્પાંશને ક્ષયાપશમ હોય છે. ખાકીની સર્વ ઈન્દ્રિયાના આવરણકર્મોના સંધાતી રસ ઉયમાં હાવાથી તે એકેન્દ્રિય જીવેાને બીજી ઇન્દ્રિયા દ્વારા સ્વલ્પ પણ જ્ઞાન થઈ શકતું નથી; પરિણામે તે જીવાનું અજ્ઞાન એટલું બધુ ગાઢ હાય છે કે તેથી તે સુપ્ત કે મૂચ્છિત ખરાબર છે. વીર્યાંન્તરાય કતા પણ ક્ષયાપશમ એટલે અલ્પ હાય છે કે તે પોતાના સુખદુઃખનો અનુભવ સ્પષ્ટપણે કરવામાં અસમર્થ છે. આ પ્રમાણે જ્ઞાન અને વીર્યની અત્યન્ત ન્યૂનતા તે જ તેઓની આત્મિક અશુદ્ધિ છે, તે જ અવિકસિતતા છે. કાષાયિક માત્રાની ન્યૂનતાનું કારણ પણ તે જ તેની ન્યૂનતા અર્થાત્ આત્મિક અશુદ્ધિ છે, અને નહિ કે સ્વાભાવિક શક્તિઓના વિકાસ. જેમ એક શસ્ત્રાસ્ત્રસંપન્ન પ્રજા બીજી પ્રજાને સંપૂર્ણ રીતે પેાતાના તાબામાં લઈ લે છે અને તેને ક્રોધ, માન, માયા અને લેભ આદિ વડે કચડી નાંખે છે, ત્યારે તેનાથી ખીજી જંગલી, ખાયલી, નામ, પશુપ્રાય નગ્ન પ્રજા આક્રમણ કરતી પ્રજા સામે ઝવાને બદલે તેને દેખી નાસી જાય અને છુપાઈ જાય છે, તે શુ તેથી તે જંગલી પ્રજાને વિકસિત કહી શકીએ ? કદી નહિ, કારણ કે જોકે હમણાં તેનામાં ક્રોધ, લાભ આદ એછા દેખાય છે, પરન્તુ તેના બદલે ભય અધિક જણાય છે; અને પરિણામે ક્રોધ, લાભ આદિ અધિક માત્રામાં દેખાવાને પૂર્ણ સંભવ છે; આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવોના સબંધી સમજવું જોઈ એ. અનાદિ કાળથી કાષાયિક માત્રા ન્યૂન હોવા છતાં પણ જે એ કેન્દ્રિય વા અવ્યવહાર–રાશિમાંથી બહાર નીકળી શકયા નથી તેમ જ નીકળી શકવાના પણ નથી તેનું કારણ જ્ઞાન અને વીરૂપ આત્મિક શક્તિની આત્યં તિક ન્યૂનતા અર્થાત્ આત્મિક અશુદ્ધિ જ છે. એકવાર જ્ઞાન અને વીતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy