SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ નિગેદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર [ ૨૦૧૯ વૃદ્ધિની સાથે કાષાયિક માત્રા વધે તે પણ તે જ જ્ઞાન અને વીર્ય દ્વારા ઉપગપૂર્વક તે જ કાષાધિક માત્રા ન કરવાનો અને તેને અત્યંત નિર્મલ કરવાનો સંભવ સંસી છમાં છેઅને આ પ્રકારને જે સંભવ તે જ વિકાસ છે. તેથી એકેન્દ્રિય જીવોમાં વિકાસનો પ્રશ્ન જ નથી. વિકાસનો આરંભ. જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે હોય છે, અને આ વૃદ્ધિ વૈભાવિક વિકાસની સહચારિણી હેય તો પણ તેવી અવસ્થામાં કોઈ ને કોઈ વખત પણ સ્વાભાવિક વિકાસને સંભવ છે. ૨. પ્રશ્ન: અવ્યવહાર–રાશિના નિગોદ જીવોને તીવ્ર કષાયને ઉદય અનાદિ કાળથી આજ સુધી અસંભવ હોવા છતાં તેઓએ નિગોદમાં જઈ જ્ઞાન તેમ જ વીર્યની આત્યંતિક અભાવગ્રસ્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી ? જે તેને ઉત્તર એ જ હોય કે અનાદિ કાળથી તે છે એ જ સ્થિતિમાં છે તે તે મારી સુદ બુદ્ધિને ઠીક લાગતો નથી, કારણ કે કર્મ તે સ્વકૃત જ છે. જીવરાશિની હીનતમ અવસ્થામાં જવાનું અને રહેવાને માટે જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મને જેટલે રસ અને સ્થિતિને બંધ કરવાની જરૂર છે તેટલે બંધ કરવાને અવસર તે જીવોને અત્યાર લગી પ્રાપ્ત થયે નથી, કેમ કે તે છે હજી સુધી વ્યવહાર–રાશિમાં આવ્યા જ નથી. જ્યારે તે જીવોને અવ્યવહાર–રાશિનું નામ આપ્યું છે ત્યારે આટલું તે માની લીધેલું જ છે કે તે એ સંસી જીવોના ભવને પ્રાપ્ત કર્યો નથી. તે પછી આવાં ચીકણું કર્મ તે જીવોએ ક્યારે બાંધ્યાં ? જો એમ કહેવામાં આવ્યું હતું કે નિગોદમાં જતાં પહેલાં તે છાએ અન્યાન્ય ભવોમાં ઘેર ચીકણું કર્મને બંધ કરી લીધેલું, જેથી નિગોદમાં હીનતમરૂપે રહેવું પડે છે, તે તે કહેવું ઠીક ગણાત. પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે અનાદિ કાળથી તે છ નિગોદમાં જ છે તે પ્રશ્ન એ ઉભવે છે કે તેમણે એ ગાઢ ચીકણું કર્મને ક્યારે બંધ કર્યો ? જે તેને અવ્યવહાર-રાશિની સંજ્ઞા ન હેત તે એમ પશુ કહી શકાત કે તેઓએ અનાદિ કાળમાં કોઈ ને કોઈ વખતે તીવ્ર કષાયના ઉદયને લઈને ચીકણું કર્મ બંધ કર્યો હશે; પરન્તુ જ્યારે તેમને અવ્યવહાર–રાશિ જ કહ્યા છે–અનાદિકાળથી વર્તમાન કાળ, સુધી તેઓ વ્યવહાર–રાશિમાં આવ્યા જ નથી–ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેઓએ એવાં કર્મને બંધ ક્યારે કર્યો ? આટલી આત્મિક અશુદ્ધિ ક્યાંથી આવી? શું કઈ સૃષ્ટિકર્તાએ ઘોર કર્મ સહિત જીવોને ઉત્પન્ન કરી નિગોદમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy