________________
વિકાસનું મુખ્ય સાધન
[૫૯ કર્તવ્યપાલનના ફુવારા નથી ઊડતા, અંદર ને અંદર એના હૃદયને દબાવીને સુખીને બદલે–ખાધેલા, પણ નહિ પચેલ અન્નની જેમ–એને દુઃખી કરે છે. આવું નહિ પચેલું અન્ન નથી લેહી બનીને શરીરને પણ સુખ પહોંચાડતું કે નથી બહાર ન નીકળવાને કારણે શરીરને પણ હલકું કરતું; અંદર ને અંદર સડી શરીરને તથા ચિત્તને અસ્વસ્થ કરે છે. આ જ સ્થિતિ કર્તવ્યપાલનમાં નહિ ફેરવાયેલ એવા તે માતાના સનેહભાવની હોય છે. આપણે કોઈક સમયે ભયને કારણે રક્ષણ માટે ઝુંપડી બનાવી તથા એની સંભાળ પણ રાખી, ભયને કારણે બીજાઓથી બચવા માટે અખાડામાં કસરત કરી બળ પણ મેળવ્યું, કવાયત તથા નિશાનબાજીથી સૈનિકશક્તિ પણ મેળવી, આક્રમણને સમયે–ભલે એ આક્રમણ પિતાના ઉપર, કુટુંબ ઉપર કે સમાજ ઉપર કે રાષ્ટ્ર ઉપર હોય—એક સૈનિકની રીતે કર્તવ્યપાલન કર્યું, પરંતુ પિતાના ઉપર અથવા આપણે જેને પિતાને ગમ્યું હતું તેના ઉપર ભય ન રહ્યો હોય, પણ જેને આપણે પિતાને નથી સમજતા કે જે રાષ્ટ્રને આપણે પિતાનું રાષ્ટ્ર નથી સમજતા તેના ઉપર, આપણા ઉપર આવેલ ભય કરતાં પણ પ્રચંડ ભય આવી પડે ત્યારે, આપણું ભયમાંથી બચાવવાની શક્તિ આપણને કર્તવ્યપાલનમાં કદી પણ પ્રવૃત્ત નહિ કરે. આપણામાં ભયથી બચવાની કે બચાવવાની કેટલીયે શક્તિ કેમ ન હોય, પરંતુ તે શકિત જે સંકુચિત ભાવથી ઉત્પન્ન થઈ હોય તે જરૂરિયાત હોવા છતાં તે કામમાં નહિ આવે અને જ્યાં જરૂરિયાત નહિ હોય અથવા તો ઓછી જરૂરિયાત હશે ત્યાં પણ ખર્ચાશે. હમણાં જ આપણે જોયું કે યુરોપનાં તથા બીજાં રાષ્ટ્રો પાસે ભયથી બચવાની તથા બચાવવાની અસીમ શક્તિ હોવા છતાં અને ભયગ્રસ્ત એબિરસીનિયાએ સેંકડે વિનંતી કરવા છતાં તેને કાંઈ પણ મદદ તે રાષ્ટ્રો ન કરી શક્યાં. આ પ્રમાણે ભયજનિત કર્તવ્યપાલન પણ અધૂરું જ હોય છે તથા મેટેભાગે ઊલટું પણ હોય છે. આમ મોહની કટિમાં ગણાતા બધાયે ભાવોની એક જ સરખી વ્યવસ્થા છે અને તે એ કે એ ભાવો તદ્દન અધૂરા, અસ્થિર તથા મલિન હોય છે. - જીવનશક્તિને યથાર્થ અનુભવ એ જ બીજા પ્રકારને ભાવ છે જે ઉદય પામતાં ચલિત કે નષ્ટ પણ નથી થતો. એક પ્રશ્ન થઈ શકે છે કે જીવનશકિતના યથાર્થ અનુભવમાં કયું એવું તત્ત્વ છે કે જેને કારણે તે સદા સ્થિર, વ્યાપક તથા શુદ્ધ રહે છે. એનો ઉત્તર મેળવવા માટે જીવનશક્તિના સ્વરૂપ ઉપર થોડો વિચાર કરવો પડશે.
આપણે આપણું મનમાં જ વિચારીએ અને જોઈએ કે જીવનશક્તિ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org