________________
૧૦૧૦ 1
દર્શન અને ચિંતન અને ચતુર્દશીના વ્રતને મહત્વ આપે; કેઈ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે તે બીજો કોઈ તપ ઉપર પણ વધારે ભાર આપે. આ રીતે પરંપરાગત ભિન્ન ભિન્ન સંસ્કારનું પોષણ અને રુચિભેદનું માનસિક વાતાવણું અનિવાર્યો હોવાથી બાહ્યાચાર અને પ્રવૃત્તિને ભેદ કદી ભૂંસાવાને નહિ ભેદની ઉત્પાદક અને પિષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવું છે કે તે ખરી રીતે ખંડિત થતું જ નથી. તેથી જ આપણે ઉપરની આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઈએ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં અને ગમે તે રૂપમાં જીવનનું સત્ય એકસરખું જ બધા અનુભવી તત્ત્વોના અનુભવમાં પ્રગટ થયું છે.
પ્રસ્તુત વક્તવ્ય પૂરું કર્યું તે પહેલાં જૈન દર્શનની સર્વમાન્ય બે વિશેષતા એને ઉલ્લેખ કરી દઉં. અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતોથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પિતાની દૃષ્ટિ મયદાવિકસાવવી જોઈએ અને તેમાં સત્યગ્રહણની સંભવિત બધી જ રીતોને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણીને જન્મ થયેલે છે. એ સરણી કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તે શબ્દ–છળની આંટીઘૂંટી ખેલવા માટે નથી યોજાયેલી, પણ એ તે જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે યોજાયેલી છે. તેથી અનેકાંત વિચારસરણીને ખરે અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશે અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં એગ્ય રીતે સ્થાન આપવું.
જેમ જેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પિતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓના દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસ સંકુચિતતાઓ અને વાસના
ઓ સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અનેકાંતના 'વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતે. તેથી અનેકાંતના વિચારની રક્ષા અને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાને પ્રશ્ન આવે છે. જૈન અહિંસા એ માત્ર ચુપચાપ બેસી રહેવામાં કે ધંધાપ છોડી દેવામાં કે માત્ર લાકડા જેવી નિષ્ટ સ્થિતિ સાધવામાં નથી સમાતી, પણ એ અહિંસા ખરા આત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org