________________
જૈન તત્ત્વજ્ઞાન
[ ૧૦૬૧
અળની અપેક્ષા રાખે છે. કાઈ પણ વિકાર ઊભા થયા, કાઈ વાસનાએ ડાકિયું કાઢ્યું કે કોઈ સંકુચિતતા મનમાં સરકી ત્યાં જૈન અહિંસા એમ કહે કે તું એ વિકારા, એ વાસના, એ સંકુચિતતાથી ન હા, ન હાર, ન દખા. તું એની સામે ઝઝૂમ અને એ વિરોધી બળાને જીત. આ આધ્યા ત્મિક જય માટેના પ્રયત્ન એ જ મુખ્ય જૈન અહિંસા છે. આને સયમ કહા, તપ કહા, ધ્યાન કહા કે કાઈ પણ તેવુ આધ્યાત્મિક નામ આપે, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે; અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાક રૂપે અવતરેલ અનેક ક ક આચાર છે.
ઉપર વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કાઈ પણ બાહ્યાચાર જન્મ્યા હોય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કાઈ ખાચાર નિર્માયા હાય તા તેને જૈન તત્ત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જો ઉપરનુ અહિ ંસાનું આંતરિક તત્ત્વ સંબંધ ન ધરાવતુ હોય તો તે આચાર અને તે વ્યવહાર જૈન દૃષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પેાષક છે એમ ન કહી શકાય.
અહીં’જૈન તત્ત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણીને જ લખાવી નથી. માત્ર એ વિશેની વિચારસરણીનેા ઇશારા કર્યા છે. આચારની બાબતમાં પણ કાઈ બહારના નિયમો અને બંધારણ વિશે જાણીને જ ચર્ચા નથી કરી, પણ આચારના મૂળ તત્ત્વાની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેતે જૈન પરિભાષામાં આશ્રવ, સવર આદિ તા કહેવામાં આવે છે. આશા છે કે આ ફ્રેંક વર્ણન જૈન દર્શનની વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં કાંઇક મદદગાર થશે.
—પ્રબુદ્ધ જૈન, ૧૫-૬-'૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org