________________
૧૦૫૪ ]
દર્શન અને ચિંતન છે. તેમનામાં તત્વચિંતનની બાબતમાં કઈ મૌલિક ભેદ હજી સુધી નોંધાયેલો નથી. માત્ર આયં તત્ત્વચિંતનના ઈતિહાસમાં જ નહિ, પણ માનવીય તત્ત્વચિંતનના સમગ્ર ઈતિહાસમાં આ એક જ દાખલો એવો છે કે આટલા બધા લાંબા વખતનો વિશિષ્ટ ઈતિહાસ ધરાવવા છતાં જેના તત્વચિંતનને પ્રવાહ મૌલિક રૂપે અખંડિત જ રહ્યો હોય. પૂર્વીય અને પશ્ચિમીય તત્વજ્ઞાનની પ્રકૃતિનું તેલન
તત્વજ્ઞાન પૂવય છે કે પશ્ચિમીય હે, પણ બધા જ તત્વજ્ઞાનના ઈતિહાસમાં આપણે જોઈએ છીએ કે તત્વજ્ઞાન એ માત્ર જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ નથી થતું, પણ એ પિતાના પ્રદેશમાં ચારિત્રનો પ્રશ્ન પણ હાથ ધરે છે. એ છે કે વત્તે અંશે, એક કે બીજી રીતે, દરેક તત્વજ્ઞાન પિતામાં જીવનશોધનની મીમાંસા સમાવે છે. અલબત, પૂર્વ અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે થોડો તફાવત પણ જોઈએ છીએ. ગ્રીક તત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિશેના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એનો સંબંધ જોડાતાં એમાં જીવન
ધનને પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ ભજવે છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પણ રોમન કેથોલિક સંપ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈએ છીએ, પરંતુ આર્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ માં આપણે એક ખાસ વિશેષતા જોઈએ છીએ અને તે એ કે આર્ય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનધનના પ્રશ્નમાંથી થઈ હોય તેમ લાગે છે, કારણ કે આર્ય તત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધિક અને જૈન એ ત્રણે મુખ્ય શાખાએમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જ જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. આર્યાવર્તનું કોઈ પણ દર્શન એવું નથી કે જે માત્ર વિશ્વચિંતન કરી સંતોષ ધારણ કરતું હોય, પણ તેથી ઊલટું આપણે એમ જોઈએ છીએ કે દરેક મુખ્ય કે તેનું શાખારૂપ દર્શન જગત, જીવ અને ઈશ્વર પર પિતાના વિશિષ્ટ વિચારે દર્શાવી છેવટે જીવનશોધનના પ્રશ્નને જ છણે છે અને જીવનશોધનની પ્રક્રિયા દર્શાવી વિરામ પામે છે. તેથી આપણે દરેક આર્ય દર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મોક્ષને ઉદ્દેશ અને અંતમાં તેને જ ઉપસંહાર જોઈએ છીએ. આ જ કારણને લીધે સાંખ્યદર્શન જેમ પિતાનો વિશિષ્ટ યોગ ધરાવે છે અને તે ગદર્શનથી અભિન્ન છે, તેમ ન્યાય, વૈશેષિક અને વેદાંત દર્શનમાં પણ વેગના મૂળ સિદ્ધાંત છે. બૌદ્ધ દર્શનમાં પણ એની વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org