SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જન તત્વજ્ઞાન [ ૧૦૫૫ ગપ્રક્રિયાએ ખાસ સ્થાન કર્યું છે. એ જ રીતે જૈન દર્શન પણ યોગપ્રક્રિયા વિશે પૂરા વિચારે દર્શાવે છે. જીવનશોધનના મૌલિક પ્રશ્નોની એકતા આ રીતે આપણે જોયું કે જૈન દર્શનમાં મુખ્ય બે ભાગ છે. એક તત્ત્વચિંતનને અને બીજે જીવનશોધનને. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ છે કે વૈદિક દર્શનની કેઈ પણ પરંપરા છે કે બૌદ્ધ દર્શનની કઈ પરંપરા લે અને તેને જૈન દર્શનની પરંપરા સાથે સરખાવે, તે એક વસ્તુ સ્પષ્ટ જણાશે કે આ બધી પરંપરાઓમાં જે ભેદ છે તે બે બાબતમાં છે. એક તો જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતન પરત્વે અને બીજે આચારના સ્થળ તેમ જ બાહ્ય વિધિવિધાનો અને સ્થૂળ રહેણીકરણી વિશે, પણ આર્યદર્શનની દરેક પરંપરામાં જીવશોધનને લગતા મૌલિક પ્રશ્નો અને તેને ઉત્તરમાં જરા પણ તફાવત નથી. કોઈ ઈશ્વર માને કે નહિ, કોઈ પ્રકૃતિવાદી હોય કે કોઈ પરમાણુવાદી, કોઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત્વ સ્વીકારે, કેઈ આત્માને વ્યાપક અને નિત્ય માને કે કોઈ તેથી ઊલટું માને, એ જ રીતે કોઈ યજ્ઞયાગ દ્વારા ભક્તિ ઉપર ભાર મૂકે કે કોઈ વધારે કડક નિયમોને અવલંબી ત્યાગ ઉપર ભાર મૂકે; પણ દરેક પરંપરામાં આટલા પ્રશ્નો એકસરખા છે: દુઃખ છે કે નહિ ? હોય તે તેનું કારણ શું? તે કારણને નાશ શક્ય છે ? અને શક્ય હોય તે કઈ રીતે ? છેવટનું સાધ્ય શું હોવું જોઈએ ? આ પ્રશ્નોના ઉત્તરે પણ દરેક પરંપરામાં એક જ છે. ભલે શબ્દભેદ હાય, સંક્ષેપ કે વિસ્તાર હેય, છતાં દરેકને ઉત્તર એ જ છે કે અવિદ્યા અને તૃષ્ણા એ દુઃખનાં કારણે છે. તેને નાશ સંભવિત છે. વિદ્યાર્થી અને તૃષ્ણા છેદ દ્વારા દુઃખનાં કારણોને નાશ થતાં જ દુખ આપોઆપ નાશ પામે છે, અને એ જ જીવનનું મુખ્ય સાધ્ય છે. આર્ય દર્શનેની દરેક પરંપરા જીવનધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમ વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનશોધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે. જીવનધનની જન પ્રક્રિયા જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાનંદરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મેહના અનાદિ પ્રવાહને આભારી છે. અજ્ઞાનને ઘટાડવા અને તદ્દન નષ્ટ કરવા તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy