SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્વજ્ઞાન [ ૧૦૫૩ તે ઘોડે લાકડાના કટકાઓમાં છુપો નથી હોતે, જેમકે તલમાં તેલ હોય છે, પણ ઘોડે બનાવનાર સુતારની બુદ્ધિમાં ક૯૫નારૂપે હોય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તરૂપ ધારણ કરે છે. જે સુતાર ધારત તે એ જ લાકડાના કટકામાંથી ઘેડે ન બનાવતાં ગાય, ગાડી કે બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કોઈ ગમે તેટલે વિચાર કરે કે ઈચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તે ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આર્વિભાવ માનવાની બાબતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળીને હતા, અને બીજી બાજુ કાર્ય તેમજ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી બીજા વિચારપ્રવાહને મળતો હતો. આ તે બાહ્ય વિશ્વની બાબતમાં ચોથા વિચારપ્રવાહની માન્યતા થઈ પણ આત્મતત્વની બાબતમાં તે એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહ કરતાં જુદી જ હતી. તે માનતો કે દેહભેદે આત્મા ભિન્ન છે, પરંતુ એ બધા જ આત્માઓ દેશદષ્ટિએ વ્યાપક નથી તેમ જ માત્ર ફૂટસ્થ પણ નથી. એ એમ માનતા કે જેમ બાહ્ય વિશ્વ પરિવર્તનશીલ છે તેમ આત્માઓ પણ પરિણામી ઈ સતત પરિવર્તનશીલ છે. આત્મતત્વ સંકોચ-વિસ્તારશીલ. પણ છે અને તેથી તે દેહપ્રમાણ છે. આ ચોથે વિચારપ્રવાહ તે જ જૈન તત્ત્વજ્ઞાનનું પ્રાચીન મૂળ છે. ભગવાન મહાવીરથી પહેલાં ઘણા સમય અગાઉથી એ વિચારપ્રવાહ ચાલ્યો આવતે અને તે પિતાની ઢબે વિકાસ સાધતે તેમ જ સ્થિર થતું જતું હતું. આજે આ ચોથા વિચારપ્રવાહનું જે સ્પષ્ટ, વિકસિત અને સ્થિર રૂપ આપણને પ્રાચીન કે અર્વાચીન ઉપલબ્ધ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે મોટે ભાગે ભગવાન મહાવીરના ચિંતનને આભારી છે. જૈન મતની મુખ્ય શ્વેતામ્બર અને દિગમ્બર. બે શાખાઓ છે. બન્નેનું સાહિત્ય જુદું જુદું છે, પરંતુ જૈન તત્વજ્ઞાનનું જે સ્વરૂપ સ્થિર થયેલું છે તે બન્ને શાખાઓમાં જરા પણ ફેરફાર સિવાય એક જ જેવું છે. અહીં એક વાત ખાસ બેંધવા જેવી છે અને તે એ કે વૈદિક તેમ જ બૌદ્ધ મતના નાનામોટા ઘણા ફાંટાઓ પડ્યા છે. તેમાંથી કેટલાક તે એકબીજાથી તદ્દન વિધી મંતવ્ય ધરાવનાર પણ છે. એ બધા ફાંટાઓ વચ્ચે વિશેષતા એ છે કે જ્યારે વૈદિક અને બૌદ્ધ મતના બધા જ ફોટાઓ આચારવિષયક મતભેદ ઉપરાંત તત્વચિંતનની બાબતમાં કેટલેક મતભેદ ધરાવે છે, ત્યારે જૈન મતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સજાયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy