SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ર ] દર્શન અને ચિંતન છે. નથી તે કેઈનું પરિણામ કે નથી તે કોઈ કારણમાંથી ઉત્પન્ન થયેલું. જેમ તે આત્મતત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બને દૃષ્ટિએ તે અનંત પણ છે; અને તે આત્મતત્ત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી. ત્રીજો વિચારપ્રવાહ એ પણ હતો કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક છવજગત બન્નેને કેાઈ એક અખંડ સતતત્વનું પરિણામ માનતા અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણમાં કશો જ ભેદ માનવા ના પાડત. જૈન વિચારપ્રવાહનું સ્વરૂપ : ઉપરના ત્રણ વિચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પર -માણુવાદી અને બ્રહ્મવાદી નામથી ઓળખીશું. આમાંથી પ્રથમના બે વિચારપ્રવાહોને વિશેષ મળતે અને છતાં તેનાથી જુદો એવો એક ચોથા વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવર્તતા હતા. એ વિચારપ્રવાહ હતા તે પરમાણુવાદી પણ તે બીજા વિચારપ્રવાહની પેઠે બાહ્ય વિશ્વનાં કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતો ન હતો, પણ મૂળમાં બધા જ પરમાણુઓ એક સમાન પ્રકૃતિના છે એમ માનતે. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણ ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ ભાન હોવાથી, એમ કહે કે પરમાપુંજમાંથી બાહ્ય વિશ્વ આપઆપ પરિણમે છે. આ રીતે આ ચોથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું. તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર બાહ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યોને ઉત્પત્તિશીલ પણ માનતે. તે એમ કહે કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કોઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પિતાનાં પરમાણુરૂપ કારમાંથી જન્મે છે. તેવી વસ્તુઓ તલમાંથી તેલની પેઠે પોતાના કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદન નવી ઉત્પન્ન નથી થતી; જ્યારે બાહ્ય વિશ્વમાં ઘણી વસ્તુઓ એવી પણ છે કે જે પોતાનાં જડ કારમાંથી ઉત્પન્ન થાય છે, પણ પિતાની ઉત્પત્તિમાં કોઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુઓ પિતાનાં જડ કારણોમાં તલમાં તેલની પેઠે પેલી નથી હોતી, પણ તે તો તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કેાઈ સુતાર જુદા જુદા લાકડાઓના કટકા એકઠા કરી તે ઉપરથી એક ઘડે બનાવે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy