________________
જૈન તત્ત્વજ્ઞાન
[ ૧૦૫૧ પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે? એ તને કદી અંત આવવાનો કે કાળની દષ્ટિએ અંતરહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત ત ખરી રીતે દેશની દષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે?
આ અને આના જેવા બીજા ઘણું પ્રશ્નો તત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોને કે તેમાંના કેટલાકને ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્વિક ચિંતનના ઈતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકોએ બહુ જૂના વખતથી આ પ્રશ્નોને છણવા માંડેલા. એમનું ચિંતન અનેક રીતે વિકાસ પામ્યું, જે પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં ખાસ મહત્વનો ભાગ રેકે છે. આર્યાવર્તના વિચારકોએ તે ગ્રીક ચિંતકો પહેલાં હજારો વર્ષ અગાઉથી આ પ્રશ્નોના ઉત્તર મેળવવા વિવિધ પ્રયત્નો કરેલા, જેને ઈતિહાસ આપણી સામે સ્પષ્ટ છે.
ઉત્તરેનું સંક્ષિસ વગકરણ
આર્ય વિચારકેએ એક એક પ્રશ્ન પર આપેલા જુદા જુદા ઉત્તરે અને તે વિશે પણ મતભેદની શાખાઓ અપાર છે, પણ સામાન્ય રીતે આપણે ટૂંકમાં એ ઉત્તરનું વર્ગીકરણ કરીએ તે આ પ્રમાણે કરી શકાય –
એક વિચારપ્રવાહ એ શરૂ થયો કે તે બાહ્ય વિશ્વને જન્ય માનતો, પણ તે વિશ્વ કોઈ કારણમાંથી તદ્દન નવું જ–પહેલાં ન હોય તેવું થયાની. ના પાડતો અને એમ કહેતો કે જેમ દૂધમાં માખણ છૂપું રહેલું હોય છે અને ક્યારેક માત્ર આવિર્ભાવ પામે છે, તેમ આ બધું ધૂળ વિશ્વ કઈ સૂક્ષ્મ કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે જાય છે અને એ મૂળ કારણ તે સ્વતઃસિદ્ધ અનાદિ છે.
બીજો વિચારપ્રવાહ એમ માનતો કે આ બાહ્ય વિ કોઈ એક કારણથી જન્મનું નથી. તેના સ્વભાવથી ભિન્ન ભિન્ન એવાં અનેક કારણો છે અને એ કારણોમાં પણ વિશ્વ દૂધમાં માખણની પેઠે છૂપું રહેલું ન હતું, પરંતુ જેમ જુદા જુદા લાકડાના ટુકડા મળવાથી એક નવી જ ગાડી તૈયાર થાય છે તેમ તે ભિન્ન ભિન્ન જાતનાં મૂળ કારણોનાં સંશ્લેષણવિશ્લેષણમાંથી આ બાહ્ય વિશ્વ તદ્દન નવું જ ઉત્પન્ન થાય છે. પહેલું પરિણામવાદી અને બીજે કાર્યવાદી. એ બને વિચારપ્રવાહે બાહ્ય વિશ્વના આવિર્ભાવ કે ઉત્પત્તિની બાબતમાં મતભેદ ધરાવવા છતાં આંતરિક વિશ્વના સ્વરૂપની બાબતમાં સામાન્ય રીતે એકમત હતા. બને એમ માનતા કે અહં નામનું આત્મતત્વ અનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org