SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૮ ] દર્શન અને ચિંતન વિદ્વાન પાસે આર્યસાહિત્યના તરજુમાઓ અરબી, ફારસી અને ઉર્દૂ ભાષામાં કરાવ્યા. તિબેટવાસીઓએ પણ એજ કર્યું અને છેલ્લે જોઈએ તે જર્મન, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાના વિશિષ્ટ વિદ્વાનોએ પિતાપિતાના દેશની જ્ઞાનસમૃદ્ધિ વધારવા તેમ જ લેકેના માનસ અને અભ્યાસને ઊંચા ધોરણ ઉપર મૂકવા દુનિયાના બધા ભાગમાંથી બને તેટલું વધારેમાં વધારે સાહિત્ય અનેકરૂપે પિતાપિતાની ભાષામાં ઉતાર્યું. સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ ભાષાને જ પારંપરિક વારસો ભોગવનાર આપણે અંગ્રેજી, ફ્રેન્ચ કે જર્મન ભાષા તરફ જેવું પડે છે. એક વાર બાળક માને ધાવવું છોડે અને તેના ખોળામાં ખેલવાનો નિર્ચાજ આનંદ જતો કરે ત્યારે તેની પરમાતાના હાથે એના ખોળામાં જે વલે સંભવે તે વલે સાહિત્યની બાબતમાં આપણી છે. તેથી જેઓ તત્ત્વજ્ઞાનના વિચારેને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જવા ઈચ્છતા હોય, તેનો ફેલા ઈચ્છતા હોય, તેમની ફરજ છે કે તેમણે એ બધું જ્ઞાન વ્યવસ્થિત રીતે માતૃભાષામાં આવે એવો પ્રયત્ન કરો. દક્ષિણી, બંગાળી અને હિંદી ભાષામાં આ માટે પ્રયત્નો થઈ રહેલા છે, અને કેટલેક અંશે તે તેઓ આપણું કરતાં આગળ વધ્યા છે. ગુજરાતી ભાષાની ક્ષમતા બીજી એકે ભાષા કરતાં ઓછી નથી; ઊલટું, તેની વિચાર કરવાની અને તેને વ્યક્ત કરવાની શક્તિ પ્રમાણમાં વધારે છે. સંસ્કૃત અને પ્રાકૃતને તેને સાથ છે; ફારસી, ઉર્દી, અંગ્રેજી આદિને પણ તેને સહગ છે. એવી સ્થિતિમાં તે ભાષાના સાહિત્યને તત્વજ્ઞાનના ગુલાબી ફૂલની સૌરભથી સુવાસિત કરી મૂકવું એ એક જ ઋષિઋણ, દેશઋણ કે સમયઋણ આપણા ઉપર બાકી રહે છે. એને ન ફેડનાર કે ફેડવામાં મંદ ઉત્સાહ રાખનાર પિતાને સાહિત્યસેવી કહે છે એ સાહિત્યનો દ્રોહ જ કરે છે, એમ સત્ય કહેવરાવે છે.* –પ્રસ્થાન, મહા ૧૯૮૫. * નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપેલો નિબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy