________________
જૈન તત્ત્વજ્ઞાન
[ પ ]
વિશ્વના ખાદ્ય અને આંતરિક સ્વરૂપમાં તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમેાના સબંધમાં જે તાત્ત્વિક દૃષ્ટિએ વિચારણા એ તત્ત્વજ્ઞાન. આવી વિચારણા કાઈ એક જ દેશ, એક જ જાતિ કે એક જ પ્રજામાં ઉદ્ભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હાતું; પણ આ જાતની વિચારણા એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હાવાથી તે વહેલી કે માડી દરેક દેશમાં વસનાર દરેક જાતની માનવપ્રજામાં એછે કે વત્તે અંશે ઉદ્ભવે છે, અને તેવી વિચારણા જુદી જુદી પ્રજાઓનાં પરસ્પર સંસગને લીધે, અને કાઈ વાર તદ્દન સ્વતંત્રપણે પણ વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેકરૂપે કટાય છે.
પહેલેથી આજ સુધીમાં ભૂખડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્ત્વિક વિચારણાએ કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાઆના ક્રમિક ઇતિહાસ પણ પૂર્ણ પણે આપણી સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામગ્રી આપણી સામે છે અને એ વિશે જે કાંઈ થ ુધણું આપણે જાણીએ છીએ તે ઉપરથી એટલું તો નિર્વિવાદપણે કહી શકાય કે તત્ત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિરાધી દેખાતી ગમે તેટલી ધારા હાય, છતાં એ અધી વિચારધારાઓનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના ખાદ્ય તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમેાનુ રહસ્ય શેાધી કાઢવું.
તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ
જેમ કેાઈ એક મનુષ્યબ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હતી, પણ તે બાલ્ય આદિ જુદી જુદી અવસ્થામાંથી પસાર થવા સાથે જ પોતાના અનુભવા વધારી અનુક્રમે પૂર્ણતાની દિશામાં આગળ વધે છે, તેમ મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યજાતિને પણ બાહ્ય આદિ ક્રમિક અવસ્થાએ અપેક્ષા વિશેષે હાય જ છે. તેનું જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંખું અને વિશાળ હાઈ તેની બાહ્ય વગેરે અવસ્થાઓને સમય પણ તેટલા જ લાંખે। હાય તે સ્વાભાવિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org