SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન [૪] ભારતની શાન સમૃદ્ધિ બહુ જૂના વખતથી જાણીતી છે અને અપાર છે. તે અનેક જાતની છે. એ જ્ઞાનસમૃદ્ધિની અનેક શાખાઓમાં એક જ શાખા આ વિદ્યાના અભ્યત્થાનકાળમાં હજુ પણ એવી રહી છે કે જેની બાબતમાં પશ્ચિમીય વિચારકોની દૃષ્ટિ પણે ભારત તરફ રહે છે. એ શાખા તે દાર્શનિક વિદ્યાની શાખા. ભારતીય દર્શનવિદ્યાની ત્રણ પ્રધાન શાખાઓમાં વૈદિક શાખા લઈએ, અને તેને પહેલેથી ઠેઠ સુધીના સાહિત્યની રચનાના પ્રદેશ તરફ નજર ફેંકીએ તે આપણને જણાશે કે વૈદિક દર્શન સાહિત્યની રચનામાં ગુજરાતને ફાળો પહેલેથી આજ સુધી નથી જ, વેદ, ઉપનિષદો, સૂત્ર, ભાળે, ટીકાઓ અને પ્રકરણ છે કે ઇંડપ–એ બધાંની રચનામાં પંજાબ, બ્રહ્માવર્ત, કાશી, મિથિલા, દક્ષિણ, બંગાળ અને કાશ્મીર જનપદ વગેરેને હિસે છે, પણ એકાદ સંદિગ્ધ અપવાદને બાદ કરીએ તો એ રચનાઓમાં ગુજરાતને ફાળો નજરે નથી જ પડત. બૌદ્ધ પિટનો ઉદ્ગમ તે મગધમાં થયે. એનું સંસ્કૃત સંસ્કરણ અને પછીનું દાર્શનિક સાહિત્ય હિન્દુસ્તાનના બધા ભાગમાં જગ્યું. ગુજરાતમાં જન્મેલું બૌદ્ધ સાહિત્ય કર્યું અને કેટલું છે એને સ્પષ્ટ નિર્ણય કરે અત્યારે કઠણ છે, છતાં એમાં જરાયે શંકા નથી કે સાતમા સૈકા પહેલાં અને ત્યાં સુધીના જે મોટા મોટા બૌદ્ધ મઠમાં ગુણમતિ, સ્થિરમતિ જેવા અસાધારણ વિદ્વાન ભિક્ષુકે રહેતા હતા અને ભણાવતા ત્યાં બૌદ્ધ સાહિત્ય અવશ્ય રચાયું હતું. બધિચર્યાવતાર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કાઠિયાવાડમાં (સૌરાષ્ટ્રમાં) જ થયાનું કલ્પાય છે. આવી સ્થિતિ છતાં ગુજરાતને શરમાવા કે સંકોચાવા જેવું કશું જ નથી. તેનું કારણ એ છે કે તેણે જૈન દાર્શનિક સાહિત્યની રચનામાં મોટામાં મેટ ફાળો આપે છે. આપણે જાણીએ છીએ કે મૂળમાં તો જૈન દર્શનનું સાહિત્ય બૌદ્ધ દર્શનના સાહિત્યની પેઠે મગધમાં જ જન્મ પામેલું, પણ પછીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy