________________
પ્રામાણ્ય સ્વતા કે પરતઃ ?
[ ૧૦૪૧ પરતવાદી કહે છે કે પ્રમાણે પોતાનું કાર્ય કરવામાં સંવાદની અપેક્ષા રાખે જ છે, અને તેમ છતાં અનવસ્થાને જરાયે ભય નથી. કારણ એ છે કે સંવાદ એટલે અર્થઝિયાજ્ઞાન. આ જ્ઞાન ફલરૂપ હેઈ તે બીજાની અપેક્ષા સિવાય જ સ્વતઃ નિર્ણત અને સ્વતઃ કાર્યકારી છે. પ્રવર્તક જ્ઞાન પિતાનું કાર્ય કરવામાં અર્થકિયાજ્ઞાનની અપેક્ષા રાખે, તેથી અર્ધફિયાજ્ઞાનને પણ પોતાના કાર્યમાં અન્ય તેવા જ્ઞાનની અપેક્ષા રાખવી જોઈએ એ એકાંત નથી. ખાસ મુદ્દો તે એ છે કે જ્ઞાનનું કાર્ય માત્ર અર્થનું ભાન પ્રકટાવવું એટલું જ છે. હવે જ્યારે પ્રમાણના કાર્યમાં જ્ઞાનસામાન્યના કાર્ય કરતાં વાસ્તવિક્તાનો ઉમેરો થાય છે ત્યારે એટલું માનવું જોઈએ કે પ્રમાણના કાર્યમાં દેખાતી આ વિશેષતા કેઈ કારણને લીધે આવેલી હોવી જોઈએ. તે કારણે એ જ સંવાદ. તેથી પ્રમાણનું કાર્ય પણ પરતઃ માનવું ઘટે.
આ બન્ને પક્ષની માન્યતાને આધાર જ્ઞપ્તિની પેઠે છે, એટલે કે સ્વતપક્ષની આવૃત્તિ એક કઈ સાર્વત્રિક નિયમ એવા તરફ છે તેથી તે દરેક જ્ઞાનને સ્વતઃ કાર્યકારી માની લે છે, જ્યારે પરત પક્ષની મનોવૃત્તિ અનભવને સામે રાખી ચાલવા તરફ છે. તેથી તે કોઈ એક નિયમમાં ન બંધાતા જ્યાં જેવો અનુભવ થાય ત્યાં તેવું માની લે છે.
-કાન્તમાલા, ૧૯૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org