SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાય સ્વતકે પરતા? [ ૧૦૩૫ વિષય અને સાહિત્યને કમિક વિકાસ પહેલાં તે ઉપરની કલ્પના વેદ અને તેને લીધે મુખ્યપણે શબ્દ-પ્રમાણ ના પ્રદેશમાં હતી, પણ ધીરે ધીરે વેદ-નિત્યત્વવાદીએ સમગ્ર પ્રમાણમાં તે કલ્પના લંબાવી અને કહ્યું કે પ્રત્યક્ષ, અનુમિતિ કે અન્ય કોઈ પણ જાતનું જ્ઞાન હોય તે દરેક સ્વભાવથી યથાર્થ હોય છે. જે આગંતુક દેષ ન હોય તે તેમાં અપ્રામાણ્ય આવતું જ નથી. અનિત્યવાદીએ પણ પિતાની કલ્પનાને લંબાવી કહ્યું કે શાબ્દિક જ્ઞાન હોય કે અન્ય જ્ઞાન, દરેકમાં પ્રામાણ્ય કાંઈ સ્વાભાવિક નથી, તે તે ફક્ત કારણના ગુણથી આવે છે–જેવી રીતે કારણના દોષથી અપ્રામાણ્ય. આ રીતે શ–પ્રમાણમાં જન્મેલી સ્વતઃ–પરતની કલ્પના સમગ્ર પ્રમાણના પ્રદેશમાં ફેલાઈ તેવી જ રીતે પહેલાં સ્વતઃ–પરતની વાદભૂમિ મુખ્યભાગે પ્રામાણ્યની ઉત્પત્તિ હતી; તેને ધીરે ધીરે વિકાસ થતાં પ્રામાણ્યની જ્ઞપ્તિ અને તેનાં કાર્યો સુધી તે વિસ્તરી. તેથી અત્યારે સ્વતઃ–પરતની ચર્ચા પ્રામાણ્યની ઉત્પત્તિ, જ્ઞપ્તિ અને કાર્યના વિષયમાં જોઈએ છીએ. જેમ જેમ ચર્ચાના વિષયની સીમા વધતી ચાલી અને તેની વિશદતા પણ થતી ચાલી તેમ તેમ તેનું સાહિત્ય પણ વિકસ્યું. આપણે જોઈએ છીએ કે ઉપનિષના પ્રાચીન જમાનામાં રવતઃ–પરતની ચર્ચાના શનું નિત્યત્વઅનિયત્વ” જેવા કેટલાક અંશે માત્ર છૂટાછવાયા નિરુક્ત જેવા ગ્રન્થમાં અસ્પષ્ટ રૂપમાં મળે છે. ક્રમે તેને વિકાસ થતે ચાલ્યો, પણ છેક ચોથી-પાંચમી શતાબ્દી સુધીમાં એ ચર્ચાનું સાહિત્ય બહુ નહતું વધ્યું. સ્વતઃ પક્ષમાં શબરસ્વામીનું શાબરભાષ્ય અને પરતઃપક્ષમાં બૌદ્ધાચાર્ય દિન્નાગના, જૈનાચાર્ય સિદ્ધસેનના તથા સમંતભદ્રના પ્રત્યે–એટલું જ સાહિત્ય ત્યારસુધીમાં આ વિષયને લગતું મુખ્યપણે કહી શકાય, પણ કુમારિલના બ્લેકવાર્તિકમાં સ્વતઃપક્ષની ખૂબ ચર્ચા થતાં જ બૌદ્ધ, જૈન અને નૈયાયિકે તેની વિરુદ્ધ ઊતરી પડ્યા. શાંતરક્ષિતકૃત તત્વસંગ્રહ અને નાલંદા વિદ્યાપીઠના તત્રના અધ્યાપક કમલશીલની (આશરે ઈ. સ. ૭૫૦) તે ઉપરની ટીકા સિવાય આજે સંસ્કૃત બૌદ્ધ ગ્રન્થ આપણું સામે ન હોવાથી તે વિશે મૌન જ ઠીક છે. પણ જૈન વિદ્વાન વિદ્યાનંદે પિતાની અષ્ટસહસ્ત્રી, બ્લેકવાર્તિક આદિ કૃતિઓમાં તથા પ્રભાચજે પિતાની. પ્રમેયકમલમાર્તક, ન્યાયકુમુદચંદ્રોદય આદિ કૃતિઓમાં તે વિશે જરાયે કંટાળ્યા સિવાય ખૂબ લખેલું આપણી સામે છે. આવી ચર્ચામાં તૈયાયિકે તે કુશળ હોય જ, એટલે તેઓનું સાહિત્ય પણ તે વિશે ઊભરાવા લાગ્યું. દશમા સૈકા. દરમ્યાન અભયદેવે સન્મતિત ઉપરની પિતાની ટીકામાં સ્વતઃ–પરતઃ પ્રામાણ્યની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy