SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૪ ] દર્શન અને ચિંતન મૂક્યા સિવાય દરેક પ્રકારના યજ્ઞ અને સમગ્ર વેદનું પ્રમાણ સ્થાપન કરવા લાગે. છેવટે પ્રધાન ધર્મશાસ્ત્ર તરીકે લોકેમાં રૂઢ થયેલ વેદના પ્રામાણ્યાપ્રામાણ્યને જ પ્રશ્ન બંને વર્ગો વચ્ચે ચર્ચાને મુખ્ય વિષય થઈ ગયે. અપ્રા. ભાષ્ય સિદ્ધ કરનાર વર્ગ એમ કહે કે શાસ્ત્રને રચનાર પુરુષો હોય છે. કઈ કઈ પુરુષ કદાચ નિર્લોભ અને જ્ઞાની હેય, પણ દરેક કાંઈ તેવા હોતા નથી. તેથી એકાદ ડાઘણું સ્વાથી કે ડાઘણ અજ્ઞાની પુરૂ દ્વારા શાસ્ત્રમાં એવો ભાગ પણ દાખલ થઈ જાય છે કે જેને પ્રમાણ માનવા શુદ્ધ બુદ્ધિ તૈયાર ન થાય. બીજો વર્ગ એમ કહે કે એ વાત ખરી છે, પણ વેદની બાબતમાં તે લાગુ પડતી નથી. વેદોમાં તે પ્રામાણ્યની શંકા લઈ શકાય તેવું છે જ નહિં; કારણ એ છે કે પુરુષો વેદોના રચયિતા જ નથી. તેથી તેઓના અજ્ઞાન કે લેભને લઈને વેદમાં અપ્રામાણ્ય આવે જ ક્યાંથી ? આવી રીતે વેદના પ્રાભણ્ય અને અપ્રામાણ્યની ચર્ચામાંથી વેદના પૌરુષેય અને અપૌરુષેયત્વને વાદ જામે. અપૌરુષેયત્વવાદમાં બે ફાંટા પડ્યા. બંનેની માન્યતાનું સમાનત એ કે વેદો પ્રમાણ છે, તેમાં અપ્રમાણ ભાગ જરાયે નથી, પણ બંનેમાં એક મતભેદ જન્મે. એક પક્ષ કહેવા લાગ્યું કે વેદ શબ્દરૂપ હોઈ અનિત્ય છે, તેથી તેને કોઈ રચનાર તે હે જ જોઈએ. પુરુષો (સાધારણ છવાભાઓ) સર્વથા પૂર્ણ ન હોવાથી વેદોને તેઓની કૃતિ ન માની શકાય, એટલે સર્વજ્ઞ ઈશ્વરની રચનારૂપે વેદે મનાવા જોઈએ; જ્યારે બીજો પક્ષ કહેવા લાગ્યો કે વેદ ભલે શબ્દરૂપ હોય, પણ વેદ એ નિત્ય છે અને નિત્ય એટલે અનાદિસિદ્ધ. તેથી વેદને પુરુષોની કે ઈશ્વરની રચના માનવાની જરૂર નથી. આ રીતે પૌરુષેયત્વ-અપૌરુષેયત્વવાદમાં વેદના અનિત્ય અને નિત્યત્વને પ્રશ્ન પણ ચર્ચાવા લાગ્યા. વેદનું પ્રામાણ્ય મૂંગા મેએ ન સ્વીકારનાર પક્ષ તે તેને પૌરુષેય અને અનિત્ય માનતે જ, પરંતુ તેનું પ્રામાણ્ય સ્વીકારનાર પણ એક પક્ષ તેને અનિત્ય માનતે થયો. વેદને અનિત્ય માની પ્રમાણ માનનાર પક્ષ નિત્યાવાદીને કહેતો કે શાસ્ત્રનું પ્રામાણ્ય તેના રચનારની પૂર્ણતાને લઈને છે, તેથી જે વેદ કેઈની રચના ન હોય તે તેમાં પ્રામાણ્ય કેવી રીતે વટાવી શકાય ? આને ઉત્તર બીજા પક્ષે આપ્યું કે પ્રામાણ્ય એ પરાધીન નથી; પરાધીન તે અપ્રામાણ્ય છે. તેથી જે શાસ્ત્રો કાનાં રચાયેલાં હોય તેમાં અપ્રામાણ્યને સંભવે ખરે, પણ વેદતે કોઈની રચના જ નથી, એટલે તેમાં પુરુષષની સંક્રાન્તિ અને તજજન્ય અપ્રામાણ્યને સંભવ ન હોવાથી વિદનું પ્રામાણ્ય સ્વતઃસિદ્ધ છે. આ રીતે અનુક્રમે સ્વતઃ–પ્રામાણ્ય અને પરત –પ્રામાણ્યની કુપના જન્મી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy