________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ
[ ૧૦૩૩ (૩) સ્વતઃ = જે બુદ્ધિમાં જ્ઞાનનું ભાન થાય તેમાં જ જ્ઞાનનું સત્યત્વ પણ ભાસિત થાય છે એમ માનવું તે સ્વત
(૪) પરત = જ્ઞાનનું સત્યત્વ એ જ્ઞાનને જાણનાર બુદ્ધિ કરતાં જુદી બુદ્ધિથી જણાય છે એમ માનવું તે પરત.
(૫) અભ્યાસદશા = વારંવાર પરિચયમાં આવવાની સ્થિતિ. (૬) અભ્યાસદશા = આનાથી ઊલટું. (૭) વ્યવસાય = કઈ પણ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન. (૮) અનુવ્યવસાય = પ્રથમ નિશ્ચયને જાણનારું પાછળનું જ્ઞાન.
(૯) અર્થયિાજ્ઞાન = જે વસ્તુથી જે પ્રજને સાધી શકાતાં હેય, તે વસ્તુના જ્ઞાન પછી પ્રવૃત્તિ થયા બાદ તેવાં પ્રયોજનનો અનુભવ થ તે અર્થ કયાજ્ઞાન.
(૧૦) સંવાદ = પ્રથમ જ્ઞાનથી વિરુદ્ધ ન પડવું તે સંવાદ. (૧૧) વિસંવાદ = આથી ઊલટું.
(૧૨) પ્રવર્તકજ્ઞાન = જે જ્ઞાન પછી તે જ્ઞાનના વિષયને ગ્રહણ કરવા અથવા છોડવા પ્રવૃત્તિ થાય છે તે પ્રવર્તકજ્ઞાન. સ્વત કે પરત ની ચર્ચાનું અતિહાસિક મૂળ
વેદના સંહિતા (મંત્ર) ભાગ ઉપર લેકેની શ્રદ્ધા દઢ જામી હતી અને તેથી જ અનુક્રમે ભાગને ઉપયોગ કર્મકાંડમાં થવા લાગે. જાણે કે અજાણ્ય કર્મકાંડનાં વધિવિધાને, જેમ દરેક સંપ્રદાયમાં બને છે તેમ, જટિલ અને શુષ્ક થઈ ગયાં અને તેમાં વાસ્તવિક ધર્માનુભવનું તત્વ ઘટી ગયું. હિંસા સામાન્યરૂપે અધર્મ ગણાતી; તે વેદવિહિત થતાં ધર્મનું કારણ મનાવા લાગી. આ રીતે કલ્યાણના જ્યોતિર્મય માર્ગમાં ધૂમનું આવરણ જોઈ કરુણામૂર્તિ પ્રતિભાશીલ અને સ્વાવલંબી ઘણું મહાત્માઓનું હૃદય કકળી ઊઠયું. તેઓએ તે કર્મકાંડની હિંસાને પણ અધર્મના કારણ તરીકે જણાવવા માંડી અને વચ્ચે વેદને પ્રશ્ન આવત તેઓએ જણાવ્યું કે જે વેદ સુધ્ધાં હિંસાનું પ્રતિપાદન કરતા હોય તો તેને ખરા વેદ ન માનવા. આવી સ્થિતિમાં એક વર્ગ એ ઊભું થયું કે જે હિંસામય યજ્ઞ અને તેને ટેકો આપતી તિઓને અપ્રમાણ ઠરાવતો હતો, જ્યારે બીજો વર્ગ એવો થયે જે જરાયે ઢીલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org