________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ?
[૩] જે વિષય બહુ થોડાને પરિચિત છે તે વિષય ઉપર હું કેમ લખું છું, એ પ્રશ્નને ખુલાસે પ્રસ્તુત લેખની પ્રસ્તાવનાથી થશે. લગભગ આઠેક વરસ પહેલાં ભાવનગર આત્માનંદ સભામાં વિદ્વાન કવિ કાન્તની સાથે પહેલવહેલું મળવાનું થયું. તે વખતે તેઓએ મને જે પ્રશ્ન પ્રથમ પૂછે અને મેં જે ઉત્તર આપેલ, તેને જ થોડું પલ્લવિત અને વ્યવસ્થિત કરી લખી દઉં તે એક દાર્શનિક વિચારની ચર્ચા અને કવિ કાન્તની યાદી એમ બે અર્થ સરે.
કા મને “માતં પ્રઘં” એ કારિકાનું પાદ સમજાવવા કહ્યું. આને ઉત્તર નીચે લખું તે પહેલાં ઉક્ત કારિકાની બાહ્ય માહિતી અને તેને વિષય જાણી લે વેચે છે -
સાહિત્યદર્પણ અને ગૌતમસૂત્રવૃત્તિના લેખક બંગાળી વિદ્વાન વિશ્વનાથ તપંચાનન ( ઈ. સ. સતરમ સકે) ની રચેલ કારિકાવલી (અથવા ભાષાપરિચ્છેદ)ની ૧૩૬મી કારિકાનું “પ્રમાā ન હતો ગ્રાહ્ય” એ ત્રીજું પાદ છે. એની થોડી વ્યાખ્યા તે ગ્રન્થકારે પોતે જ પોતાની મુક્તાવલિ નામક ટીકામાં આપી છે. મીમાંસકદર્શન પ્રામાણ્યને સ્વતઃ ય માને છે. તેનું નિરાકરણ નૈયાયિક મતથી એ પાદમાં કરેલું છે. એની દલીલ તરીકે તેનું શું પાદ સંચાનુત્તિત:” આવે છે. આ કારિકાની વ્યાખ્યા કાન્તના પ્રશ્નના ઉત્તરમાં મેં આપી.
આ વિષયની પક્ષવાર માન્યતાઓ અને તેનું એતિહાસિક મૂળ એ બે બાબતે આ લેખમાં મુખ્ય જણાવવાની છે, પણ તે જણાવ્યા પહેલાં પ્રસ્તુત લેખમાં વારંવાર આવનારા કેટલાક શબ્દોની સંક્ષેપમાં માહિતી આપવી ઠીક ગણાશે.
(૧) પ્રમાત્વ = જે જ્ઞાન યથાર્થ હોય તે પ્રમાં કહેવાય છે. જ્ઞાનની યથાર્થતા (સત્યતા) એ પ્રમાd.
(૨) પ્રામાણ્ય = આ સ્થળે પ્રામાણ્ય અને પ્રમાત્વ એ બંને શબ્દ એકાર્થક હાઈ પ્રામાણ્ય શબ્દને અર્થ પણ જ્ઞાનનું ખરાપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org