SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૦૬] દર્શન અને ચિંતન જે ચર્ચા કરી છે અને તેમાં મીમાંસક, બૌદ્ધ અને નૈયાયિકને ગ્રન્થને આધાર લીધે છે, તે જોતાં તે વખતે આ વિષયમાં દાર્શનિક વિદ્વાને કેટલું વધારે રસ લેતા તે જણાઈ આવે છે. દાર્શનિકશિરોમણિ વાચસ્પતિ મિશ્રની સર્વતોગામિની પ્રતિભામાંથી પસાર થયા બાદ ન્યાયાચાર્ય ઉદયન અને નવીનન્યાયના સૂત્રધાર ગણેશ તથા તેના પુત્ર વર્ધમાનના હાથે આ વિષય ચર્ચાય. તેથી તે વિષયનું સાહિત્ય ઘણું જ વધી ગયું; છતાં જે કાંઈ ઊણપ રહી હોય તે મીમાંસક પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા અને વિદ્વાન વાદિદેવસૂરિના વિશાળકાય સ્યાદ્વાદરત્નાકરે પૂરી કરી. અત્યાર સુધીમાં સ્વતઃ–પરતના સાહિત્યનું એક મોટું મંદિર તૈયાર થયું હતું. તેના ઉપર તાર્કિક ગદાધર ભટ્ટાચાર્યે પ્રામાણ્યવાદ રચી કળશ ચઢાવ્યા, અને જેન તાર્કિક યશવિજય ઉપાધ્યાયે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપરની પિતાની ટીકામાં આ સાહિત્યમંદિરને પ્રામાણિક ઉપયોગ કર્યો. આ રીતે અઢારમા સૈકા સુધીમાં પ્રસ્તુત વિષયને લગતું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેને વિચાર કરતાં જણાય છે કે મધ્યકાળમાં દાર્શનિક વિદ્વાનોની આ વિષયમાં રસવૃત્તિ ખૂબ વિકસી હતી. એની પુષ્ટિમાં વિદ્યારણ્યવિરચિત શંકરદિગ્વિજયમાંથી મંડનમિશ્રનું ઘર પૂછતાં એક બાઈએ શંકરસ્વામીને આપેલે ઉત્તર ટાંકે બસ થશે? स्वतः प्रमाणं परतः प्रमाण कीराङ्गना यत्र गिरं गिरन्ति । द्वारस्थनीडान्तरसंनिरुद्धा जानीहि तन्मण्डनपण्डितोकः ॥ . ૮, કરે. ૬ સ્વતઃ-પરત ના દાર્શનિક પક્ષેનું વર્ગીકરણ સ્વતઃ પ્રામાણ્ય માનનાર વર્ગોમાં ફક્ત બે જ દર્શને આવે છેઃ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પરતઃ પ્રામાણ્ય માનનાર વર્ગમાં જૈન અને બૌદ્ધ દર્શન ઉપરાંત ચાર વૈદિક દર્શને આવી જાય છે ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને યોગ. ઉપપત્તિ વેદ ઉપર થતા આક્ષેપનું સમાધાન અને કૃતિઓની પૂર્વાપર સંગતિ કરવાનું બુદ્ધિસાધ્ય કામ જૈમિનીયદર્શને લીધું, તેથી તેણે સ્વતઃ પ્રમાણની ટૂંકી ને ટચ સરસ ઉપપત્તિ ઉપસ્થિત કરી. વેદાન્તદર્શનનું કાર્ય વ્યવસ્થિત થયેલ વેદમાંથી બ્રહ્મનું તાત્પર્ય બતાવવાનું હતું, તેથી તે જૈમિનીયદર્શનની સ્વતઃ પ્રમાણની કલ્પનાને ચર્ચા કર્યા સિવાય માની લે તે સ્વાભાવિક જ છે. વેદના પ્રામાણ્યમાં વાંધે લેનાર જૈન અને બૌદ્ધ દર્શનને પરત પ્રામાણ્યની બુદ્ધિગમ્ય કલ્પના રજુ કર્યા સિવાય ન ચાલે. તેથી તેઓને તે પક્ષ પણ સહજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy