SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૮ ] દર્શન અને ચિંતન (૧) મિથ્યાદષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સમ્યફમિથ્યાદષ્ટિ, (૪) અવિરત સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ (વિરતાવિરત), (૬) પ્રમસંયત, (૭) અપ્રમત્તસંયત.(૮) અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર), (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સમસપરાય, (૧૧) ઉપશાંતમોહ, (૧૨) ક્ષીણમેહ, ( ૧૩ } સાગકેવલી, (૧૪) અયોગકેવલી. પ્રથમ ગુણસ્થાન એ અવિકાસઆવરણેની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણની શુદ્ધિ વિશેષ અને આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણની શુદ્ધિ એછી. આ રીતે આત્મિક ગુણોની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારે સંભવે છે, પણ સક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેંચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મેહનીય કર્મની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મેહનીય કર્મની મુખ્ય બે શક્તિઓ છે. પહેલી શક્તિનું કાર્ય આત્માના સમ્યકત્વ ગુણને આવૃત કરવાનું છે જેથી આત્મામાં તાત્વિક રુચિ કે સત્યદર્શન થવા પામતું નથી. બીજી શક્તિનું કાર્ય આત્માના ચારિત્ર ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મા તાવિક રુચિ કે સત્યદર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલામ કરી શકતું નથી. સમ્યક્ત્વની પ્રતિબંધક એવી મેહનીયની પ્રથમ શક્તિ દર્શન મેહનીય અને ચારિત્રની પ્રતિબંધક એવી મોહનીયની બીજી શક્તિ ચારિત્રમોહનીય કહેવાય છે. આ બેમાં દર્શનમેહનીય પ્રબળ છે, કારણ કે જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમેહનીયનું બળ ઘટતું નથી. દર્શનમેહનીયનું બળ ઘટસ્યું એટલે ચારિત્રમેહનીય ક્રમે ક્રમે નિર્બળ થઈ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કર્યાવરણમાં પ્રધાનતમ અને બલવત્તમ મેહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મેહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવરણે તીવ્ર જ રહે છે અને તેની શક્તિ ઘટતાં જ અન્ય આવરણનું બળ મંદ થતું જાય છે. આ જ કારણથી ગુણસ્થાનની કલ્પના મેહનીય કર્મના તરતમભાવને આધારે કરવામાં આવી છે.. ૧. જુઓ સમવાયાંગ, ૧૪ મે સમવાય. - ૨. (૧) જે અવસ્થામાં દર્શન મેહનીયની પ્રબળતાને લીધે સમ્યફત્વ ગુણ આવૃત થયેલો હોવાથી આમાની તત્તરુચિ જ પ્રગટી શકતી નથી અને જેથી તેની દૃષ્ટિ મિથ્યા (સત્ય વિરુદ્ધ) હોય છે તે અવસ્થા મિથ્યાષ્ટિ. (૨) અગિયારમા ગુણસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થોડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સાસ્વાદન. આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતને ભુખ આત્માને તત્વચિને સ્વલ્પ પણ આસ્વાદ હોય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હોય છે. આ બીજું ગુણસ્થાન પતેને મુખ આત્માને જ હેય છે. (૩) હીંચકે હીંચતા માણસની પેઠે જે અવસ્થામાં આત્મા દેલાયમાન હોય છે, જેને લીધે તે સર્વથા સત્યદર્શન કરી શકતો નથી કે સર્વથા મિથ્યાષ્ટિની સ્થિતિમાં રહી શકતું નથી અર્થાત તેની સંશયળ જેવી સ્થિતિ બની જાય છે, તે અવસ્થા સમ્યકમિશ્ચાદષ્ટિ. આ ગુણસ્થાનમાં દર્શનમોહનીયનું વિષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy