SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ [૧૦૧૭ ઔપપાતિક, અને (૬) અરહા. જેમાં પહેલી સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસને કાળ છે. બીજી સ્થિતિમાં વિકાસનું ફુરણ અલ્પાંશે અને અવિકાસને પ્રભાવ સવિશેષ હોય છે. ત્રીજથી છઠ્ઠી સુધીની ચારે સ્થિતિઓમાં ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ જ વધતા જાય છે અને તે વિકાસ છઠ્ઠી સ્થિતિમાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે. ત્યાર બાદ નિર્વાણુતત્વ પ્રાપ્ત થાય છે. આ બૌદ્ધ વિચારસરણીનું પૃથક્કરણ કરીએ તે એમ કહી શકાય કે પહેલી બે સ્થિતિઓ એ અવિકાસકાળ છે. ત્રીજીથી છઠ્ઠી સુધીની ચાર સ્થિતિઓ વિકાસકાળ છે અને છ સ્થિતિઓ પછી નિર્વાણુકાળ છે. જૈન દર્શન જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથ, જે આગમના નામથી ઓળખાય છે, તેમાં સુધ્ધાં આધ્યાત્મિક વિકાસના કમ સંબંધી વિચારે વ્યવસ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કરવામાં આવ્યા છે જે ગુણસ્થાનને નામે ઓળખાય છે. તે ગુણસ્થાને આ પ્રમાણે : ૧. (૧-૨) પુથુજન એટલે સામાન્ય મનુષ્ય, તેના અંધપુથુજ્જન અને કલ્યાણપુથુજ્જન એવા બે ભેદો છે. યથા– दुवे पुथुज्जना वुत्ता बुद्धनादिच्चबंधुना । अंधो पुथुज्जनो एको कल्याणेको पुथुज्जनो ॥ –મઝિમનિકાય, મૂળ પરિયાય, સુત્તવણના. આ બનેમાં સંજના (બંધન) તે દશે હોય છે, છતાં અંતર એટલું જ કે પહેલાને આર્યદર્શન અથવા સત્સંગ પ્રાપ્ત થયેલ નથી હોતાં, જ્યારે બીજાને પ્રાપ્ત થયેલ છે. આ બંને નિર્વાણુમાર્ગથી પરામુખ હોય છે. (૩) નિર્વાણમાગને પ્રાપ્ત થયેલાનાં ચાર પ્રકાર છે, જેણે ત્રણ સંજનાને ક્ષય કર્યો હોય તે તાપન્ન. (૪) જેણે ત્રણને ક્ષય અને પછીની બેનું શૈથિલ્ય કર્યું હોત તે સકદાગામી. (૫) જેણે પાંચને ક્ષય કર્યો હોય તે ઔપપાતિક, (૬) જેણે દશે સ યોજનાને ક્ષય કર્યો હોય તે અરહા. સેતા૫ન વધારેમાં વધારે સાત વાર મનુષ્યલોકમાં અવતરે છે, ત્યારે બાદ અવશ્ય નિર્વાણ પામે છે. પપાતિક બ્રહ્મલોકમાંથી જ નિર્વાણ પામે છે. અરહા તે સ્થિતિમાંથી જ નિર્વાણ મેળવે છે. દશ યોજનાઓ માટે જુઓ અંગુત્તરનિકાય, પૃ. ૧૭, કુટટ ૧૩ અને મઝિમનિકાય તથા બુદ્ધ, ધર્મ આણિ સંધ (મરાઠી) , ૯૯. ૨. ગુણસ્થાન-ગુણ એટલે આત્માની ચેતના, સમ્યકત્વ, ચારિત્ર, વીર્ય આદિ શક્તિઓ સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણો વિવિધ આવરણથી સંસારદશામાં આવૃત છે. જેમ જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy