________________
ઉચ્ચ શિક્ષણુની બેધભાષા
[ ૯૭૩ રૂપ જે ગ્રંથ રચાયા હેય, જે વ્યાખ્યાને થતાં હોય, જે વિચારચર્ચાઓ ચાલતી હેય તેને લાભ લઈને પિતાને બુદ્ધિવિકાસ સાધનારી વ્યક્તિઓ સદાકાળ. અને સર્વત્ર પાકતી રહેવાની. એમને શું કરવાથી મકળાશ મળે?
એની સાથે એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવો છે. જે પ્રજાના થરથરમાં જ્ઞાન પચે એ માટે પદ્ધતિસરની કોશિશ ન થાય તે શું પરિણામ આવે તેને વિચાર કર્યો? ખુદ ઉચ્ચ શિક્ષણના વિકાસને જ તેથી વિધ નડે.
જ્યાં અનેક જણ કેળવાયેલાં હોય છે ત્યાં અનેકની ભિન્ન ભિન્ન શક્તિઓનું સહિયારું સમસ્ત વિદ્યાપ્રવૃત્તિને ઉપકારક નીવડે છે. એટલે આ પ્રશ્ન કેવળ મહાવિદ્યાલયમાં જઈને ઉચ્ચ શિક્ષણ લેનારાઓને ખ્યાલ કરીને નહિ, પણ આખી પ્રજાના લાભનો વિચાર કરીને ઉકેલ જોઈએ.
ગુજરાતી ભાષાનું થવાનું હોય છે થાય, એ નિર્દય મત આ. માંકડ ધરાવતા નથી. એવો મત ધરાવનારા પણ હોઈ શકે અને વસ્તુસ્થિતિને જોયાજાણ્યા વિના અમુક ઇષ્ટ પરિસ્થિતિ કલ્પીને જ વિચારનારા આ પ્રકારના લોકોને સમજાવવું પણ મુશ્કેલ. સુભાગ્યે આ. માંકડ એ કેટિના નથી. એમના લેખ પરથી હું સમજું છું કે ગુજરાતી ભાષાનો વિકાસ એમને ઈષ્ટ છે. એટલે તે પછી શું કરવાથી એ વિકાસ સધાય એને જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. વિચિત્ર વાત એ છે કે પોતાના લેખમાં એમણે બોધભાષા થવાને પાત્ર દેશવ્યાપી ભાષા, જે સાહિત્યભાષા અને સંસ્કારભાષા બને એ એમને આગ્રહ છે, એને વિકસાવવાનો અને સ્વભાષાને વિકસાવવાનો ઉપાય જાદ જુદો સૂચવ્યું છે. રાષ્ટ્રભાષા પરત્વે તેઓ કહે છે, “સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જે એ ભાષા વપરાય તે એના ઘડતરને ઘણે જ વેગ મળે.” અને સ્વભાષા પર તેઓ કહે છે, “આપણે માધ્યમ ગમે તે રાખીએ, પણ પરિભાષા તે સમસ્ત દેશવ્યાપી એક જ હોવી જોઈએ...એટલે પારિભાષિક શબ્દોની સમૃદ્ધિ ગુજરાતીને, ગમે તે માધ્યમ હશે તે પણ... પૂરતાં પ્રમાણમાં મળી રહેશે એમાં શંકા નથી. આમ બિનગુજરાતી માધ્યમ ઉચ્ચ શિક્ષણ, માટે રાખવાથી, ગુજરાતી ભાષાના વિકાસને ફટકો લાગશે એમ અમને જરાય . લાગતું નથી.” . * હવે પરિભાષા સમસ્ત દેશવ્યાપી એક હોય એ તે અમારે પણ આગ્રહ છે; અને જો એમ જ હોય અથવા થાય તે તે પછી ઉપર જે ચર્ચા કરી છે તે કારણે આ. માંકડે સૂચવેલા વિકાસના બે માર્ગો પૈકી પહેલા માર્ગને લાભ સ્વભાષાને મળવો જોઈએ, અર્થાત સ્નાતક અને અનુસ્નાતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org