SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ©૨] દર્શન અને ચિંતન જઈને અંગ્રેજી શિક્ષણ નહિ લઈ શકનારા વિશાળ આમ વર્ગ અને અંગ્રેજી ભણેલા વચ્ચે તે અંતર પડી જતું હતું જ, પણ એક જ કુટુંબમાં અંગ્રેજી ભણેલી અને નહિ ભણેલી વ્યક્તિઓ વચ્ચે પણ વિચારવિનિમયને અવકાશ રહેતું નહોતું. સામાન્ય વાતચીતથી, સંસર્ગથી, વ્યવહારથી કે અમસ્તા બે શબ્દો કાને પડી જવાથી જે જ્ઞાનલાભ મળે છે તેનાથી ઘરને અંગ્રેજી નહિ ભણેલો વર્ગ વંચિત રહે. આથી ઊલટું, જે દેશમાં ઉચ્ચતમ શિક્ષણ પણ સ્વભાષામાં જ અપાય છે તેને દાખલે લે. ત્યાં કઈ પણ વિચાર–અઘરામાં અઘરે વિચાર પણ–ભાષાને કારણે અઘરે રહેતું નથી. આથી ભિન્ન ભિન્ન સમજશક્તિ ધરાવનારાઓને ભિન્ન ભિન્ન રીતે સમજાવવાના પ્રયાસ પણ એવા દેશમાં શક્ય બન્યા છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્રને જ આ વિરતાર છે, અને ઈગ્લેંડ, ફ્રાન્સ, જર્મની આદિ દેશની પ્રજાઓનું સામાન્ય ધોરણ આ રીતે જ ઊંચે જવા પામ્યું છે. ઉચ્ચ શિક્ષણ જે ભાષામાં અપાતું હોય છે તે જ ભાષામાં શ્રમની કરકસરના નિયમને અનુસરીને ચર્ચા વિચારવિનિમય આદિ થતાં રહે છે. એટલે જે નીચલા થરને કાયમ નીચલા રાખવા હોય તે જ સ્વાભાવિક બધભાષા બદલવાની ભલામણ કરવી જોઈએ, કેમ કે સામાન્ય જનો જે સુલભ અને સુગમ હોય તે જ ગ્રહણ કરી શકતા હોય છે. એ હકીકત પ્રમાણને જ તેમનું બૌદ્ધિક ધોરણ ઊંચે લઈ જવાની કેશિશ કરવી જોઈએ. જે એમને માટે ઉચ્ચ કોટિનું જ્ઞાન ભાષાને કારણે દુર્ગમ બને, તે એનું પરિણામ એ આવે કે ઉચ્ચ જ્ઞાન અમુક ખાસ વર્ગને ઇજારે બની રહે. લેકે લાભ લે કે ન લે, પણ જ્ઞાનને સર્વસુલભ બનાવવાની સગવડ આપણે કરવી જ રહી. ગહન વિષયે પણ સ્વભાષામાં ચૂંટાતાં ચૂંટાતાં સાદું સ્પર્શક્ષમ રૂપ પામતા જાય છે અને એમ થતાં સાદી ભાષા પણ સૂક્ષ્મ અર્થને બોધ કરાવવાની શક્તિ મેળવતી જાય છે. આ હકીકત આ. માંકડની નજરબહાર નથી, પણ એનો લાભ તેઓ સ્વભાષાને નહિ પણ એમના માનેલા માધ્યમને–-રાષ્ટ્રભાષા કે સાંસ્કૃતિક ભાષાને–આપવા માગે છે. પિતાના લેખમાં અન્યત્ર એમણે કહ્યું છે કે, “સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જે એ ભાષા વપરાય તે એના ઘડતરને ઘણો જ વેગ મળે.” પણ એની પાછળ નિયમ તે ઉપર બતાવ્યો એ જ પ્રવર્તે છે ને ? પ્રજામાં જ્ઞાન અસંખ્ય વાટે પ્રસરે છે– એના પ્રસરણના મુખ્ય માર્ગમાં અંતરાય મૂકવામાં ન આવે તે. એક દાખલો લઈએ. પ્રજાના માણસે બધા કંઈ યુનિવર્સિટી સુધીનું શિક્ષણ પામી શકે નહિ, પણ એ શિક્ષણના પરિપાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy