SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકસૂત્રના કર્તા કેણુ? [ ૭૪૯ અને જેને મેં પ્રમાણ તરીકે ઉપર પ્રથમ જ ટાંકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકનિર્યુક્તિની મૂલગાથાની અર્થપરંપરાને અનુસરતું જ હોવું જોઈએ, એમ માનવામાં જરાયે અસ્વાભાવિક્તા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે આવશ્યકનિયંતિની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબાહ્ય શ્રતના સ્વરૂપનો નિર્ણય કરવામાં જૂનામાં જૂનો આધાર આપણી પાસે તસ્વાર્થભાષ્ય સિવાય બીજો એકે નથી, અને તત્ત્વાર્થભાષ્ય તે સ્પષ્ટ રીતે અંગબાહ્ય શ્રતને ગણધરપશ્ચાદ્ભાવી આચાર્યપ્રણત કહે છે અને અંગબાહ્ય શ્રતમાં સૌથી પ્રથમ આવશ્યકનાં છ અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાઘની વ્યાખ્યા સંબંધીને આવશ્યકનિયંતિની ગાથાને ઉપયોગ કરવો જ હોય તે તે તત્ત્વાર્થભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કાંઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી. હવે લઈએ એ નિયુક્તિ-ગાથા ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય. આ ભાષ્ય જ અત્યારે આપણી સામે નિયુક્તિની જૂનામાં જૂની અને મોટામાં મોટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને સ્પષ્ટ વિવેક કરવામાં આવ્યું છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે; અર્થાત ક્ષમાશ્રમણત્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતનો ભેદ સૂચવતી ત્રણ વ્યાખ્યાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યાઓ આપ્યા છતાં મૂલ ભાષ્યમાં ભાષ્યકારે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથને નિર્દેશ કર્યો નથી. ઉદાહરણ તરીકેના ગ્રથનો નિદેશ ભાષ્યના ટીકાકાર મલધારી શ્રી. હેમચંદે પોતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકાની અને ખાસ કરીને જૈન આચાર્યોની પ્રકૃતિપરંપરા જોતાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીએ જે ઉદાહરણ ટાંક્યાં છે તે પિતાની પૂર્વવત ભાગની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. મલધારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર જે ટીકાઓ હોવાનાં પ્રમાણે મળે છે તેમાં એક તે પણ અર્થાત્ ક્ષમાશ્રમણથીની પિતાની અને બીજી કેટયાચાર્યની. તત્ત્વાર્થભાષ્યના ટીકાકાર શ્રી. સિદ્ધસેન ગણિ મલધારીશ્રીના પૂર્વવર્તી છે. તેમની સામે ઓછામાં ઓછું વિશેષાવશ્યકભાષ્ય અને તેની પણ ટીક એ બે તે અવશ્ય હેવાં જ જોઈએ. તેથી શ્રી સિદ્ધસેન ગણિની અંગબાહ્યના કર્તવબેધક “જાગધરાનન્તર્યાલિમિઃ” એ તત્વાર્થભાષ્યગત પદની વ્યાખ્યા, જે પહેલાં ઉપર ટાંકી છે તે પ્રાચીન પરંપરાની વિરુદ્ધ હોય એમ ન માની શકાય, અને શ્રી. સિદ્ધસેનગણિ તે એ પદનો અર્થ ગણુધરવંશજ શ્રી. જંબૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy