________________
છ૪૮ ]
દર્શન અને ચિંતન ગાથામાં સામાયિક સૂત્ર કે અન્ય આવશ્યકસૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યો અને શ્રી ગણધરેએ ઝીલ્યો, તેની તે કણ ના પાડે છે? પ્રશ્ન સૂત્રરચનાને છે. તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણ પણ ગ્રાહ્ય થઈ શકતું નથી.
(૪) ચોથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની વ્યાખ્યાઓ વિશેનું તે જ ટિપ્પણમાં ટાંકવામાં આવ્યું છે. તેની ગાથા આ છે :
गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओ वा । धुव-चलविसेसओ वा अंगा-णगेसु नाणत्तं ।।
–વિરોષાવરિયસૂત્ર, જાથા ૧૬૦ આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક શ્રતને લાગુ પડતી હેવાથી તે જ આવશ્યકસૂત્રના કર્તાને નિર્ણય કરવામાં વધારે, બલ્ક ખાસ, ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિશેની પ્રસ્તુત ભાષ્યગાથા અને તેના ઉપરની મલધારીત ટીકા એ બન્નેને આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જરા વિસ્તારથી ઊહાપોહ કરી લે જરૂર છે.
વિશેષાવશ્યક ભાષ્યના પ્રણેતા શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તત્ત્વાર્થ ભાષ્યના પ્રણેતા વાચક શ્રી. ઉમાસ્વાતિના પછી થયેલા છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેને મૂળભૂત ગ્રંથ (આવશ્યકનિયુક્તિ) હતો. તે વખતની આવશ્યકનિર્યુક્તિની કઈ પ્રાચીન વ્યાખ્યા અગર તે તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિયુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે :
अश्खरसण्णीसम्म साइयं खलु सपज्जवसिय च । गमियं अंगपविढे सत्त वि एए सपडिवक्खा ॥
-विशेषावश्यकसूत्र, गाथा ४५४ ઉપર્યુંકત મૂળ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને નિર્દેશ છે. તે ગાથાની તે વખતની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને આધારે જ વાચકશ્રીએ પિતાના તત્વાર્થસૂત્રના ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાસ્થને વિવેક કરેલે હે જોઈએ, અથવા તે ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવશ્યકનિર્યુક્તિની એ ગાથાને અર્થે એમના ધ્યાન બહાર ન જ હોવો જોઈએ. એટલે વાચકશ્રીએ અંગબાહ્યનું જે સ્વરૂપ બતાવ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org